Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 7
________________ મેં એને પૂછ્યું: “સત્ય ને હકીકત વચ્ચે તફાવત શું છે? ત્યારે એણે જવાબ આપ્યઃ જ્યારે તું એક સ્ત્રીને–એ તેના બાપની વહુ છે એમ કહી ઓળખાવે છે ત્યારે તું હકીકત કહે છે પરંતુ જયારે એ જ સ્ત્રીનેએ એના સંતાનની માં છે. એમ કહી એાળખાવે છે ત્યારે તું સત્ય કહે છે.” સત્ય સુંદર ને પ્રેમપૂર્ણ છે ત્યારે હકીક્ત ? નિષ્ફર, નિર્દય અને પ્રેમહીન છે. રાહમાં ગુસ્સાના આંસુ હોય છે, વિરહમાં વ્યાકુળતાના. -... ( ર ર છે શું છે એ દશ્ય જ્યારે જ્યારે મેં જોયું છે ત્યારે ત્યારે મારી એક આંખ સમાજની ખોટી અને દંભી સહાનુભૂતિ પર કરણથી હસી છે, અને એ જ પ્રસંગે મારી બીજી આંખ વેદનાથી રડી ઊઠી છે. કે જ્યારે લગ્ન પછીની સગર્ભને એ પ્રેમથી સંભાળે છે અને લગ્ન પહેલાની કેાઈ કુમારી સગર્ભાને એ ધિક્કારે છે! માનવ ભંગાર ટુકડાઓનું એક ખંડેર સર્જન છે. આથી જ તે કયારેક એ દેવ લાગે છે, ક્યારેક માનવ અને કયારેક તે પશુથી એ પશુ '' રોજ દિવ્ય ને શાંત જણાતું મંદિર આજ સૂનું અને ભેંકાર લાગતું હતું મેં તપાસ કરી, આમ શાથી ? જોયું તે જીવનમંદિરમાંથી શ્રદ્ધાની મુર્તિ ખડેર પડી હતી !! બળવાખોર કહેશે –“બાળ' જ્યારે ક્રાંતિકારી તે કહેશે -બળે નહિ, બદલો.” --ગુણવંત શાહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64