________________
વિશે અસાંપ્રદાયિક દૃષ્ટિ રાખ્યા છતાં રાજના ધાર્મિક વાચનમાં ઉપયોગી થઈ શકે એવાં અબ કે વિસ્તારથી સારાં ચરિત્રો લખાયેલાં નથી. એવાં પુસ્તકની જરૂર છે એમ હું માનું છું, પરંતુ તે કાર્ય ઉપાડવા માટે જે અભ્યાસ જોઈએ તે માટે હું સમય કે શક્તિ મેળવી શકીશ એવો સંભવ જણાતો નથી. ત્યારે, મારી આ લેખમાળાનું પ્રજન આટલું જ છે –
માણસ સ્વભાવથી જ કોઈકને પૂજતો હોય છે જ કેટલાકને દેવ કરીને પૂજે છે તો કેટલાકને મનુષ્ય સમજતો છતાં પૂજે છે; જેને દેવ કરીને પૂજે છે, તેને પોતાથી અલગ જાતિનો સમજે છે; જેને મનુષ્ય રાખીને પૂજે છે, તેને જે પિતાને – ઓછા વો – આદર્શ કરીને પૂજે છે; રામકૃષ્ણ-બુદ્ધ-મહાવીર-ઈશું વગેરેને જુદી જુદી પ્રજાના લેકે દેવ બનાવી –– અ-માનવ કરી - પૂજતા આવ્યા છે. એને આદર્શ કરી એના જેવા થવાની હોંશ રાખી પ્રયત્ન કરી . તેનો અભ્યદય સાધવે એમ નહીં, પણ એનું નામાચરણ કરી, ઉદ્ધારક શક્તિનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પોતાનો જ દય સાધવે એ આજ સુધીની આપણી રીત છે. એ રીત છીવત્તી પણ અંધશ્રદ્ધા – એટલે
દ્ધિ ન ચાલે છે અધીની જ માત્ર શ્રદ્ધા નહીં પરંતુ બુદ્ધિનો વિરોધ કરવાની શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી.
જુદા જુદા મહાપુરુષોમાં એ દેવભાવ વધારે દૃઢ બનાવાને પ્રયત્ન એ જ સર્વ સંપ્રદાયના આચાર્યો, સાધુઓ, પંડિત વારનાં જીવનકાર્યના ઇતિહાસ થયો છે. એમાંથી ચમત્કારોની, ભૂતકાળમાં થયેલી આગાહીઓની અને ભવિષ્યકાળ માટે કરેલા અને સાચા પડેલા વર તો એની ખ્યાયિકા રચાયેલી છે, અને એને વિસ્તાર એટલે બંગ વધી ગયું છે કે જીવનચરિત્રમાંથી સંકડે નેવું કે એથી વધારે પાનાં એ જ હતુથી ભરેલાં હોય છે. આનું સામાન્ય જનતાના મન ઉપર એવું પારેખ થયું છે કે માણસની એનામાં રહેલી પવિત્રતા, લેકેત્તર શીલસંપતા, દયા આદિ સાધુ અને વીર પુરુષના ગુણને લીધે એની કિંમત એ આંકી શકતા નથી, પણ મતકારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શકિએ મહાપુરુપનું આવશ્યક લક્ષણ માને છે. શિલાની અહ
હ્યા કરવાની, ગોવર્ધનને ટચલી આંગળી પર ઊંચકવાની, સૂર્યને આકાશમાં ઘાભાવી રાખવાની, પાણી પરથી ચાલી જવાની, હજારે માણસને