________________
મહાવીર” વિશે ખુલાસો મહાવીરનું ચરિત્ર જોઈએ તેટલી વિગતોથી નથી લખી શકયા એ માટે દિલગીર છું. “ત્રિષષ્ટિશલાકા પુરુષમાં એમનું જીવન વિસ્તારપૂર્વક છે; પણ એમાં આપેલાં વૃત્તાન્તોમાંથી કેટલાં સાચાં છે એ શંકાસ્પદ છે. “આછવક વગેરેની વાતો એકતરફી અને સાંપ્રદાયિક ઝઘડાથી રંગાયેલી લાગે છે. જૈન ધર્મનું હિન્દુસ્તાનમાં જે મહત્ત્વ છે તે જોતાં મહાવીર વિશે બહુ થેડી વિશ્વસનીય માહિતી મળી શકે છે એ શોચનીય છે.
જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને સમજાવવું એ આ પુસ્તકને ઉદ્દેશ નથી, એટલે એની ચર્ચામાં હું ઊતર્યો નથી.
આ કારણથી “મહાવીરને ભાગ બહુ ટૂંકો લાગે છે. છતાં જેટલું છે તેટલું એ મહાપુરુષને સાચા રૂપમાં દર્શાવે છે એમ હું માનું
આ ભાગમાં પં. સુખલાલજી તથા શ્રી રમણીકલાલ મગનલાલ મોદીની મને જે સહાય મળી છે, તે માટે તેમને આભારી છું.
કિ. ઘ૦ મ.