Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 91
________________ ૭૪ મહાવીર ૪૭૦ વર્ષ જૂને છે. નિર્વાણ સમયે મહાવીરનું વય ૭૨ વર્ષનું હતું એમ મનાય છે. એટલે એમને જન્મ વિકમ સંવતની પ૪ર વર્ષ પૂર્વે થયેલે કહી શકાય. ૨. મહાવીરનું જન્મનામ વર્ધમાન હતું. એ નાનપણ થી જ અત્યંત માતૃભક્ત અને દયાળુ સ્વબાલસ્વભાવ ભાવના હતા, અને વૈરાગ્ય તથા તપ તરફ માતૃભક્તિ રુચિવાળા હતા. ૩. વર્ધમાન બાલ્યાવસ્થામાં ક્ષત્રિયને છાજે એવી રમતનાયે બહુ શોખીન હતા. એમનું પરાક્રમપ્રિયતા શરીર ઊંચું અને બળવાન હતું અને એમને સ્વભાવ પરાક્રમપ્રિય હતા. નાનપણથી જ બીકને તો એમણે કદી પિતાના હૃદયમાં સંઘરી જ ન હતી. એક વાર આઠ વર્ષની ઉંમરે એ કેટલાક છોકરાઓ સાથે રમતાં રમતાં જંગલમાં જઈ ચડ્યા. ત્યાં એક ઝાડ નીચે ભયંકર સર્પ પડેલો હતો. બીજા છોકરાઓ એને જોઈને નાસભાગ કરવા લાગ્યા, પણ આઠ વર્ષના વર્ધમાને એક માળાની માફક એને ઊંચે કરી દૂર ફેંકી દીધે. ૪. જેમ પરાક્રમમાં તેમ ભણવામાં પણ એ અગ્રેસર હતા. કહેવાય છે કે નવ વર્ષની ઉંમરે તે બુદ્ધિમત્તા એમણે વ્યાકરણ શીખી લીધું હતું. ૧. જુઓ પાછળ નોંધ ૧ લી.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122