Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ ઉપદેશ રૂપ સમાધિલાભથી કૃતકૃત્ય થશે. નહીં. જ્યાં સુધી આ સાત નિયમેાને તમે પાળશે। ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહીં. ભિક્ષુએ, વળી અલ્યુન્નતિના ખીન્ન સાત નિયમે કહું છું તે સાવધાનપણે સાંભળેા : (૧) શ્રદ્ધાળુ થાએ, (૨) પાપકર્મથી લાજો, (૩) લેાકાપવાદથી ડરા, (૪) વિદ્વાન થાએ, (૫) સત્કર્માં કરવામાં ઉત્સાહી રહેા, (૬) સ્મૃતિ જાગ્રત રાખે અને (૭) પ્રજ્ઞાવાન થાએ. જ્યાં સુધી આ સાત નિયમેનું તમે પાલન કરશે! ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થશે, અવનતિ થશે નહીં. 42 ભિક્ષુએ, વળી અજ્યુન્નતિના સાત નિયમે કહું છું તે ઉપર ધ્યાન આપેા. જ્ઞાનનાં સાત અંગેાની હમેશાં ભાવના કરે. એ સાત અંગે (૧) સ્મૃતિ, (૨) પ્રજ્ઞા, (૩) વીર્ય, (૪) પ્રીતિ, (૫) પ્રશ્નધિ, (૬) સમાધિ અને (છ) ઉપેક્ષા.’૧ ૧. (૧) સ્મૃતિ એટલે સતત જાગૃતિ, સાવધાનતા ઃ શું કરું છું, શું વિચારું છું, શી લાગણીઓ, ઇચ્છા વગેરે મનમાં ઉદ્ભવે છે, આજુબાજુ શું થઈ રહ્યું છે, એ સર્વે વિશે ચકારતા. વગેરે (૨) પ્રજ્ઞા એટલે મનેત્તિઓનું પૃથક્કરણ કરવાનું સામર્થ્ય : આનંદ. શાક, સુખ, દુ:ખ, જડતા, ઉત્સાહ, ધૈર્ય, બીક, ક્રોધ વગેરે લાગણીઓને ઉદ્ભવતાં કે ઉદ્દ્ભવ્યા પછી એખી, એની ઉત્પત્તિ કેમ થાય છે, એ કેમ શમે છે, એની પાછળ કઈ વાસના રહ્યાં છે તેનું પૃથક્કરણુ, આતે ધર્મવિચય પશુ કહે છે. (૩) વીર્ય એટલે સત્કર્માં કરવાનેા ઉત્સાહ. (૪) પ્રીતિ એટલે સત્કમાં કરવાથી થતા આનંદ. (૫) પ્રશ્નધિ એટલે ચિત્તની શાંતતા, પ્રસન્નતા.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122