________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : આત્મભાવના પરમાત્મા જ જગતમાં હિતોપદેશક છે. તેઓ કહે છે કે “આત્મા પોતે જ પોતાનો પ્રભુ છે, હું પ્રભુ મારો, ને તું પ્રભુ તારો, મારી પ્રભુતા મારામાં ને તારી પ્રભુતા તારામાં.-માટે તારા આત્માની ઓળખાણ કરીને તેની સન્મુખ થા, તેમાં જ તારું હિત છે.”—આમ સર્વશદેવ અરિહંત પરમાત્મા જ ખરા હિતોપદેશી છે, તેઓ જ ઇષ્ટ દેવ છે, તેથી તેમને અહીં નમસ્કાર કર્યા છે.
આ રીતે પરમ હિતોપદેશી એવા તીર્થકર અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા. તથા તેમની દિવ્ય વાણીરૂપી ભારતીનો મહિમા કર્યો. (૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com