________________
આપ્તવાણી-પ
૩૧
૩૨
આપ્તવાણી-પ
મૂળ વસ્તુ સમજાશે. ‘બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ’. ‘વ્યવસ્થિત’ ખરું, પણ ‘વ્યવસ્થિત' પરના અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે, કે બધી કુદરતની જ ક્રિયા છે. કુદરત જીવમાત્રનું હિત જ કરી રહી છે, પણ એને ‘ડીસ્ટર્બ' આ કાળ કરે છે.
પ્રશ્નકર્તા : કાળ ડીસ્ટર્બ' કરે છે, એ ના સમજાયું.
દાદાશ્રી : આ કાળ ‘ડીસ્ટર્બ' ના કરતો હોત ને તો આ જગત બહુ સુંદર લાગે. આવો કાળ આવે ત્યારે નીચે અધોગતિમાં લઈ જાય. બાકી કુદરતનું અધોગતિમાં લઈ જવાનું કામ નથી. કુદરતનો સ્વભાવ તો નિરંતર ઊર્ધ્વગતિમાં જ લઈ જવાનો છે.
એક કાળ એવો હતો કે શેઠિયાઓ નોકરોને પજવતા હતા અને હવે નોકરો શેઠિયાઓને પજવે છે એવો કાળ આવ્યો છે ! કાળની વિચિત્રતા છે ! નોર્માલિટીમાં હોય તો બહુ સુંદર કહેવાય. શેઠ નોકરને પજવે જ નહીં ને નોકર આવું તોડફોડ કરે નહીં.
આ તો પોતે ખાલી માની બેઠો છે. બાપ થયો તેમ માની બેઠો છે કે હું બાપ થાઉં. પણ છોકરાને બે કલાક ખૂબ ગાળો ભાંડ ભાંડ કર તો ખબર પડે કે બાપ કેટલા દહાડાનો છે ! ઠંડો જ થઈ જાય ને ! ખરેખર બાપ હોય તો તો જુદા જ પડે નહીં.
પાપોનું પ્રાયશ્ચિત પ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાય ને ?
દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોત ને તો કોઈ માંદા-સાજાં હોય જ નહીં ને ? પછી તો કશું દુ:ખ હોય જ નહીં ને ? પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માગવાનો અર્થ શું કે તમે માફી માંગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડે ને ?
પ્રશ્નકર્તા : કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફૂટી નીકળે.
દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યા કરે. બાકી મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવા પડે ! કૃષ્ણ ભગવાનનેય અહીં તીર વાગ્યું હતું ! એમાં ચાલે નહીં. મારે હઉ ભોગવવું પડે !
દરેકના ધર્મમાં માફીનું હોય છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ બધામાં હોય, પણ જુદી જુદી રીતે હોય.
પ્રશ્નકર્તા : ભગવાને જે ચાર પ્રકારનાં સુખ આપેલાં છે, તે ચારેય પ્રકારનાં સુખ કોઈ એક વ્યક્તિને તો આવે જ નહીં ને ?
દાદાશ્રી : આ સુખ જ નથી. બધી કલ્પનાઓ છે. આ સાચું સુખ જ નથી.
પ્રશ્નકર્તા : કયું સાચું ને કયું ખોટું સુખ, એ અનુભવ થયા વગર શી રીતે સમજાય ?
દાદાશ્રી : પોતાને અનુભવ થાય જ. બહારની કોઈ વસ્તુની મદદ સિવાય એવું સુખ ઉત્પન્ન થાય કે કોઈ દહાડો જોયું ના હોય !
પ્રશ્નકર્તા : એ કાયમ રહેવું જોઈએ.
દાદાશ્રી : એ સુખ પછી જાય જ નહીં. આ (જ્ઞાન લીધા પછી) બધાને એવું સુખ ઉત્પન્ન થયું છે, પછી એ ગયું જ નથી. પછી એ સુખની ઉપર તમે ઢેખાળા નાખ નાખ કરો, તો તમને વાગે ખરા. પણ અમારી આજ્ઞામાં રહો તો કશું થાય નહીં. અમારી આજ્ઞા તદન સહેલી
સુખતું શોધત દાદાશ્રી : શાને માટે નોકરી તું કરે છે બેન ? પ્રશ્નકર્તા : એવું નસીબમાં લખી લાવ્યા હઈશું.