Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 531
________________ અડતાલીસમું પદ વ્યકિત જુદી છે જ નહિ. પંચ મહાભૂતને સંગ મટી જાય એટલે પાછું એમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી કહે છે. ઈશ્વરને અંશ જુદો પડ્યો છે તે જુદે માયાના આવરણુથી લાગે છે, પ્રલયકાળે સર્વ એક થઈ જશે. નેતિ નેતિ વિગેરે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટ અદ્વૈતના પ્રણેતાઓએ મારું વ્યક્તિત્વ દૂર કર્યું, ફેંકી દીધું અને તેથી સર્વથા મને ઉથાપી દીધી. બોદ્ધ અનુયાયીઓએ ક્ષણિકવાદ સ્વીકાર્યો, મીમાંસકેએ અદ્વૈતવાદ સ્વીકાર્યો, શંકરાચાર્યે શુદ્ધ અઢત સ્વીકાર્યો અને તેમ કરીને મારું વ્યક્તિત્વ દૂર કરી મને ઉપાડી મૂકી. એમાં માયાવાદને અંગે ઈશ્વરને ને જગતને સંબંધ અને ખાસ કરીને આવી રચનાની ઘટના કરવાનાં કારણ વિગેરેમાં કોઈને એકમત જોવામાં આવ્યું નહિ. અભિપ્રાયવશાત્ સ્વમત સ્થાપન કરવા માટે બુદ્ધિ પહોંચી શકી ત્યાં સુધી ચાલ્યા ગયા, પરંતુ જ્યાં વાત અટકી પડી ત્યાં વિચાર ન કરતાં સ્વમસ્થાપનની ઝુંબેશમાં મારું તાત્વિક સ્વરૂપ બહાર પાડવા કેઈએ પ્રયત્ન કર્યો નહિ. વળી કેઈએ મને વ્યક્તિ તરીકે સ્વીકારી માટે વિનાશ કર્યો, એટલે મારું વ્યક્તિત્વ માની પ્રલય વખતે મારા નાશ માને. આવી રીતે માનનારા ભેદવાદીઓ છે. તેઓ ચેતના છે એમ માને છે પણ પ્રલય વખતે સર્વને નાશ માનીને પછી વિશુદ્ધ અશુદ્ધ કર્મફળને જે ગોટાળે થાય છે તેને ખુલાસો આપ્યા વગર રહેવા દે છે. આવી રીતે મને ચલાવી એટલે વ્યક્તિભેદે મારા અસ્તિત્વને સ્વીકાર કર્યો. કારણ તેમ ન કરે તે કૃતનાશ અને અકૃત અભ્યાગમ દૂષણો થાય, પરંતુ મારે સ્વીકાર કર્યા પછી પાછો કૃતનાશ થાય છે તે વાત વિસરી ગયા. વળી કેઈએ કહ્યું કે-ચેતના અનાદિ છે, ઈશ્વરકૃત છે, તેને અંશ છે અને પાછળથી તેમાં મળી જાય છે. આ પ્રમાણે મારા સંબંધમાં વાત કરી મને રાખી મૂકી, તદ્દન ઉપાડી મૂકી નહિ. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે મને સ્થાપન કરનાર રામાનુજ અને વલ્લભ સંપ્રદાયવાળા સમજવા, ઉત્થાપનાર નાસ્તિક મતવાળા સમજવા અને કેઈક અંશે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત મતવાળાને સમજવા. ચલાવનાર અને રાખનાર વૈશેષિક મતવાળા અને વેદાન્તીઓ સમજવા. વૈશેષિક મતવાળા પુરુષ અને પ્રકૃતિનો ભેદ માને છે અને સૃષ્ટિને ઈશ્વરકૃત કહે છે, પરંતુ તેઓના મત પ્રમાણે ઈશ્વરનું કાર્ય એટલું નામનું રહે છે અને તેઓ ન્યાયના વિષયને ખાસ અનુસરનાર હોવાથી ઈશ્વરકૃત સૃષ્ટિ માનવામાં આવતા દો એવી સારી રીતે સમજી શકે છે કે બરાબર પૃથકકરણ કરતાં તેઓ સૃષ્ટિને ઈશ્વરકૃત માનતા જ નથી એમ કહેવામાં કશે બાધ આવે તેમ નથી. આવી રીતે અનેક જગ્યા પર હું ગઈ તે ત્યાં એકમનવાળા મેં જોયા નહિ. એક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604