Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 543
________________ અડતાલીસમું ૫૮ ચાર ચાર મિલ મુલકને લૂંટ નહિ કોય નૃપ દિખલાય; કિનકે આગળ જાય પુકારે, અંધેઅંધ પલાય. જગગુરુ. ૩ આગમ દેખત જળ નવિ નિરખું, મનગમતા પખ ભાય; તિનતે મૂરખ ધર્મ ધમ , મત બડે મત લાય. જગગુરુ. ૪ ઈન કારણ જગમત ૫ખ છાંડી, નિધિ ચારિત્ર લહાય; જ્ઞાનાનંદ નિજ ભાવે નિરખત, જગ પાખંડ લહાય, જગગુરુ. ૫ આ ભાવ બરાબર સમજવા યોગ્ય છે. અમુક મતમાં આસક્ત થઈ પક્ષવાદ ઉપર ઉતરી જઈને જે સત્ય તરફ આંખ મીંચવામાં આવે તો કઈ પ્રકારને લાભ થતો નથી, ચેતનજીની ઉન્નતિ થતી નથી અને માત્ર સંસાર પરિભ્રમણ થાય છે. આવી સ્થિતિ અધ્યાત્મજ્ઞાનીઓએ સ્પષ્ટ જોઈ છે એનું કારણ એ છે કે-જ્યારે પક્ષમાં ઢળી જવાનું થાય છે ત્યારે પછી પિતાની વાત સત્ય કરવાનો આગ્રહ બંધાઈ જાય છે અને સત્ય શોધવાની શુદ્ધ વૃત્તિ પર હડતાળ લાગે છે. ચેતનજીને વિકાસ કરવાની દઢ ભાવના થઈ હોય તે મત-તીર્થ અને ખૂદ ચેતનજીની બાબતમાં પણ પક્ષપાત છોડી દેવાની જરુર છે. આ વિચાર કરવામાં કેટલીક વાર વ્યવહારમાં હાનિ થાય છે, કારણ કે લેકેને પિતાના મતને એ આગ્રહ હોય છે કે અન્યત્ર સત્યને કિંચિત્ સંભવ છે એવી વાત પણ તેઓ અંધે અંધ પરંપરા અને માનમતંગજ પર સ્વારીને લીધે કબૂલ કરી શકતા નથી. શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું સાધ્ય હોય છે તેથી પ્રાકૃત જનપ્રવાદ બાજુ પર મૂકી સત્યનો ભેખ લે ઉચિત છે. તમે ગમે તેટલું કરશે તે પણ લેકે તે અનેક પ્રકારનાં છિદ્રો શોધી કાઢશે, કારણ કે ઘણાખરા મનુષ્ય સ્થળ સંસારદશામાં જ હોય છે, તેઓને એથી ઊંચી હદની વાત ગળે ઉતરવી પણ અશક્ય છે અને આવી વિશદ્ધ બાબતમાં પ્રાકૃત લોકોના વિચારને અનુસરીને ચાલવામાં તે પ્રત્યવા જ આવે છે; માટે આવી વિશુદ્ધ બાબતમાં ગીઓ અથવા યોગાભ્યાસીઓ કહે તે વિચારીને-સમજીને અનુકરણ કરવા યોગ્ય છે. આનંદઘનજી પ્રભુ હાથ પકડે એ માર્ગ આનંદઘન યોગીના કહેવા પ્રમાણે આદરવા યોગ્ય છે, આપને સ્વામી શુદ્ધ ચેતન પિતાને ઓળખે એ માર્ગ આદરવાને ઉપદેશ ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજ્યજી આપે છે, પંકજ નામ ધરાવી પંકથી ઉપર-નિર્લેપ રહેનાર કમળની પેઠે વિષયકર્દમમાંથી ઉત્પન્ન થઈ તેનાથી દૂર રહેનાર પ્રાણી સાહેબને વહાલું લાગે છે તેથી તેવા થવાની જરુર ચિદાનંદજી બતાવે છે, અને જગતના મતોનો પક્ષ છોડી સ્વભાવે સર્વ વસ્તુ પર અવકન કરવાની આવશ્યકતા શ્રીજ્ઞાનવિમળસૂરિ બતાવે છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઈ મનને સત્ય સમજવા માટે ખુલ્લું રાખી પ્રગતિ કરવી અને મને મદ અથવા પક્ષ તજી દેવા પ્રયત્ન કરે એ ખાસ કર્તવ્ય છે. દુનિયામાં ધર્મને નામે લેહીની નદીઓ રેલાઈ છે એ વાત ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે અને તેના રહસ્ય તરીકે એ સમજવું યોગ્ય છે કે તેવી લડાઈઓનું કારણ માત્ર પક્ષઅંધતા અને વિચારશક્તિની ગેરહાજરી છે. પરમતને અભ્યાસ કર્યા વગર ધર્મને નામે મોટાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604