Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 554
________________ શ્રી આનંદઘનજીનાં પર પદ પચાસમું રાગ ધન્યાશ્રી. अनुभव प्रीतम कैसे मनासी. अनु० छिन निरधन सधन छिन निरमळ, समळ रूप बनासी.+ अनु० १ “હે અનુભવ ! તું પ્રાણપતિને કેવી રીતે મનાવીશ? જરા વારમાં તે નિર્ધન થઈ જશે, જરામાં ધનવાન થઈ જશે, જરામાં તે મેલ વગરને તદ્દન નિર્મળ થઈ જશે અને જરામાં મેલ યુક્ત થઈ જશે-એવાં એવાં રૂપ તે બનાવશે. ભાવ-ચેતનજીની શું સ્થિતિ છે અને તે કેવી દશામાં વતે છે તે આપણે જુદાં જુદાં દષ્ટિબિંદુથી જુદાં જુદાં પદમાં જોયું, એને માયા, મમતા ઉપરને રાગ, શુદ્ધ ચેતના તરફ ઉપેક્ષાભાવ, વસ્તુસ્વરૂપનું અજ્ઞાન, શુદ્ધ ચેતનાની તેને મળવાની આતુરતા, એને અભાવે તેના વિરહાલાપ વિગેરે અનેક ભાવે આપણે નાનાં નાનાં પદોમાં વારંવાર જોઈ ગયા છીએ. ખાસ કરીને ચેતના પતિને મળવા કેટલી આતુર છે અને તેને માટે પતિ તરફ તે કેટલા સંદેશા મોકલે છે અને બીજી અનેક રીતે પતિમેળાપનાં કેવાં કેવાં સાધને જે છે તે આપણે આગળનાં પદોમાં જોયું છે. છેવટે ઉપરના પદમાં તે તે જાણે આમંત્રણરૂપે, પિતાને કઈ વસ્તુ પર રુચિ થતી નથી અને તેટલા માટે પિતાના શુદ્ધ પતિને હવે તે કઈ મેળાપ કરાવી આપે એમ તેને સર્વને કહેતી સાંભળી છે. આ બાબતમાં અનુભવ સાથે વિચાર કરતા ચેતના મિથ્યાત્વમાં ભૂલા પડેલા પતિ મનાશે કેવી રીતે અને તેમ થયા. પછી નિજ મંદિરે કેમ પધારશે તે સંબંધી પોતાના વિચારો બતાવે છે તે ખાસ વિચાર કરવા લાયક છે. શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે-હે અનુભવ મિત્ર ! તું જાણે છે કે મારા નાથ હાલ તે મિથ્યાત્વમાં ભૂલા પડી ગયા છે તેને યોગે હાલ તેઓ આત્માને કઈ વાર ક્ષણિક માને છે, વળી કઈ વાર નિત્ય માને છે, કેઈ વાર ઈશ્વરને અંશ માને છે અને વળી કોઈ વાર તેનું અસ્તિત્વ સ્વીકારવાની જ ના કહે છે. આવા મારા નાથને હું અનુભવ ! તું કેવી રીતે મનાવીશ? તેઓને હાલ તે માયામમતાને મંદિરે રમણ કરવું પસંદ આવે છે અને હેશે કરીને હેરાન થાય છે, પરંતુ અનેક પ્રકારની પ્રાર્થના કરવા છતાં તેઓ મારે મંદિરે પધારતા નથી. વળી તેઓ અનેક રંગે વારંવાર બનાવે છે કે ઈ વખત તે નિર્ધન અને * અનુભવ શબ્દને બદલે એક પ્રતમાં તે શબ્દ “અનુભૌ ” એમ લખ્યો છે. + * બનાસી ’ને બદલે છાપેલી બુકમાં બતાસી પાઠ છે. સર્વ પ્રતમાં બનાસી પાઠ છે. ૧ પ્રીતમનપ્રિયપતિ, પ્રાણનાથ. કેસે કેવી રીતે. છિન ક્ષણવારમાં. માસી મનાવીશ. સધન=ધનવાળો. નિરમળ=મેલ વગરનો. સમળ=મેલવાળો.. બનાસી=બનાવશે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604