Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 563
________________ ૫૧૩ પચાસમ પ સંસાર વધવાનાં સાધના દૂર કરો અને પરિણતિની નિમળતા કરે. એ અનુભવ ખાસ કરીને ચેતનજીને સમજાવે છે કે-આત્માએ પેાતાનુ સ્વરૂપ સમજી વાર વાર વિચારવુ જોઇએ, એના મેાક્ષ કાંઈ બહારથી આવવાના નથી, કાઇ અને મેક્ષ આપનાર નથી અને એ કાઇ પાસે યાચના કરવાથી મળતા નથી. અંતરાત્મભાવમાં સ્થિર થવાથી એ સર્વ વાત ખની આવશે એમ અનુભવનું શિક્ષણ છે. ‘ આત્મા પોતે જ આત્માને જાણે છે ’ એ સુપ્રસિદ્ધ સૂત્ર છે. શ્રીચિદાનંદજી મહારાજ સવૈયામાં આ જ ભાવનું ગાન કરે છે તે નીચે પ્રમાણેઃ— આપ આપ કરે ઉપદેશ જ્યું, આપ આપ સુમારગ માણે, આપકું આપ કરે સ્થિર ધ્યાનમે, આપણું આપ સમાધિએ તાણે; આપ આપ લખાવે સ્વરૂપશુ, ભાગનકી મમતા નવ ટાણે, આપકું આપ સ’ભારત ચા વિશ્વ, આપણા ભેદ તા આપહી જાણે. આપ થઈ જગ જાળથી ન્યારા જ્યું, આપ સ્વરૂપમે આપ સમાવે આપ તજે મમતા સમતા ધર, શીલસુ સાથેા સનેહ જગાવે; આપ અલેખ અભેખ નિરજન, પરિજન અ ંજન દૂર બહાવે, યા વિધ આપ અપૂરવ ભાવથા, આપણા સારગ આપહી પાવે. આવી રીતે ચેતનજીને જે કરવાનુ છે, જે રળવાનુ છે અને જે મળવાનું છે. તે સર્વ સ્વમાં જ છે, સ્વથી જ છે, સ્ત્રદ્વારા જ છે. આવી જાતનું શિક્ષણુ એને અનુભવ આપે છે અને એક વખત સહેજ ઝળકાટ થઈ જાય તા પણ તેથી બહુ લાન્ન થતા નથી, પરંતુ કાયમ તેવા ભાવ ટકી રહેવાનું કારણ પણુ અનુભવથી જ બની આવે છે. એક ભાવ સાધારણ રીતે ઝળકી જાય એમાં જરા વખત તે આનંદ થાય છે, પણ જો એ ટકી રહે તા એની મીઠાશ બહુ આવે છે; તેવી રીતે અંતરાત્મભાવ ખની રહેવાનુ અને તેની મીઠાશ સતત આવવાનું કારણ અનુભવથી મને છે. આ કારણથી આ પદ્મમાં અનુભવને ઉદ્દેશીને વારવાર લેખ લખવામાં આવ્યા છે. ચેતના કહે છે કે-અનુભવથી જેમ ચેતનજીની અંતરાત્મદશા બની રહે છે એમ અનુભવ પ્રાપ્ત કરવાના માર્ગ સમતા અને તેટલા પૂરતી શુદ્ધ ચેતના છે અને તેથી અરસ્પરસ બને એક ખીજાને હિત કરનાર છે, મદદગાર છે. સમતાથી અનુભવ આવે છે અને અનુભવથી સમતા બની રહે છે. આ ભાવ બરાબર સમજી માયામમતાના ત્યાગ કરી, અનુભવરસનું પાન કરી, ચેતનજી અને ચેતનાના વિરહ મટાડવા અનતે પ્રયત્ન કરવા. જો તેમ ન કરતાં અનુભવને ધનાશ્રી કરવાનું કહેવામાં આવશે તેા વળી કેટલાએ ભવા સુધી પાછા પત્તો ખાશે નહિ. જેની ચેતના એટલી પ્રબળ થઈ ગઈ હાય કે એને પછી અનુભવના પણ ખપ રહે નહિ, એ તે અનુભવને ધનાશ્રી કરવાનું કહે, આપણે તે તેને અહીં ધનાશ્રી કરવાનું કહેવા જતાં અંતરાત્મભાવના જરા ઝળકાટ કદાચ થઈ ગયા હોય તા તેને પણ ધનાશ્રી કરાવવા જેવું થઈ જાય તેમ છે. આ સર્વ ભાવ વિચારી ચેતનજીને વિશુદ્ધ કરી તેના અંતરાત્મભાવ પ્રગટ કરો, તેના જ્ઞાનાદિ ગુણ્ણા વિશેષ નિર્મૂળ કરો, a Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604