Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 562
________________ ૫૫૨ શ્રી આનંદઘનજીનાં પ છે કે ધન્યાસી કરે, એટલે તમને શીખ છે એ પ્રમાણે તમે પણ ધન્યાસી કરો, હવે અમે પિતે જ તેને મનાવી લેશું. અમે પણ બીજા ઘરના નથી. (અમે પણ બીજા ઘરના નથી એમ છેવટે બાકારે શામાટે લખ્યું છે તે બરાબર સમજાતું નથી. મને એને ભાવ એમ લાગે છે કે તમે નહિ મનાવે તે તમને પણ શીખ છે, અમે અમારા પતિ સાથે સમજી લેશું, અમે ગમે તેમ કરીને આજ નહિ તે અમુક મુદતમાં વહાલાને મનાવી લેશું, અમે પણ પારકા ઘરના નથી. મતલબ પતિને સમજાવવા તમે પ્રયત્ન કરે તે ઘણું સારું, નહિ તે તમને પણ શીખ છે. આ ભાવ બતાવવામાં ચેતનાની કાંઈક મહત્વતા અને નરમાશ બન્ને સાથે બતાવવા પ્રયત્ન કર્યો છે.) આ પદની બીજી ગાથાને ભાવ સમજો જરા મુશ્કેલ લાગે છે, પરંતુ આખા પદનો આશય બરાબર ઝળકતું હોય એમ તે જણાય છે. કર્મવૃત સ્થિતિમાં ચેતન અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અનેક ગતિમાં જાય આવે છે અને અનેક રૂપ ધારણ કરે છે, કેઈ વાર એ પાણી માગે ત્યાં એને દૂધ મળે છે અને કઈ વાર દિવસ સુધી અન્ન વિના એને લાંઘણ કરવી પડે છે; કેઈ વાર એનાં દર્શન કરવા હોય તો અનેક પહેરેગીરની રજા લેવી પડે છે અને કઈ વાર એ ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાય છે (શાક ભાજીમાં ઉત્પન્ન થયો હોય ત્યારે ); કઈ વાર એ મોટા મલને પણ ભારે પડે છે અને કઈ વાર વ્યાધિગ્રસ્ત શરીરવાળા હોવાથી તદ્દન નિર્બળ રહે છે; કઈ વાર હજારોને ભારે પડે છે અને કોઈ વાર હજારથી ધકેલા ખાય છેઆવી સ્થિતિમાંથી તેને ઊંચા આવવાનો માર્ગ શોધતાં ચેતના વિચારે છે કે-પ્રથમ પતિને બહિરાત્મભાવ છેડાવો જોઈએ અને તેને ખરો માર્ગ એ છે કે-એને અનુભવજ્ઞાન આપવું અને તે થયા પછી તે બન્યું રહે તેવા ઉપાયે જવા. એ અનુભવજ્ઞાન માટે આ પદમાં બહુ લખાયું છે; કારણ કે એને ઉપયોગ અંતરાત્મ ભાવમાં લય થઈ પરમાતમભાવ પ્રગટ કરવા માટે બહુ સારા થાય છે. બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે – અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસ ૫, અનુભવ મારગ મેખકે, અનુભવ મેખ સરૂ૫. અનુભવકે રસકે રસાયન કહત જળ, અનુભવ અભ્યાસ ચહે તીર થકી કેર હે, અનુભવકી જે રસ કહાવે સેઈ પિરસાસુ, અનુભવ અધેરાસે ઉરપકી દેર છે; અનુભવ કેલી યહે કામધેનુ ચિત્રાવેલી, અનુભવકે સ્વાદ પંચ અમૃત કેર હે; અનુભવ કરમ તારે, પરમસું પ્રીતિ રે, અનુભવ સમાન ન ધરમ કેક ઓર . એવા અનુભવને બરાબર સમજવાની ખાસ જરૂર છે. અનુભવનું શિક્ષણ એ છે કેવસ્તુસ્વરૂપને બરાબર તેલ કરી તમારું પિતાનું હોય તે વિચારો અને તેને આદર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604