SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ શ્રી આનંદઘનજીનાં પ છે કે ધન્યાસી કરે, એટલે તમને શીખ છે એ પ્રમાણે તમે પણ ધન્યાસી કરો, હવે અમે પિતે જ તેને મનાવી લેશું. અમે પણ બીજા ઘરના નથી. (અમે પણ બીજા ઘરના નથી એમ છેવટે બાકારે શામાટે લખ્યું છે તે બરાબર સમજાતું નથી. મને એને ભાવ એમ લાગે છે કે તમે નહિ મનાવે તે તમને પણ શીખ છે, અમે અમારા પતિ સાથે સમજી લેશું, અમે ગમે તેમ કરીને આજ નહિ તે અમુક મુદતમાં વહાલાને મનાવી લેશું, અમે પણ પારકા ઘરના નથી. મતલબ પતિને સમજાવવા તમે પ્રયત્ન કરે તે ઘણું સારું, નહિ તે તમને પણ શીખ છે. આ ભાવ બતાવવામાં ચેતનાની કાંઈક મહત્વતા અને નરમાશ બન્ને સાથે બતાવવા પ્રયત્ન કર્યો છે.) આ પદની બીજી ગાથાને ભાવ સમજો જરા મુશ્કેલ લાગે છે, પરંતુ આખા પદનો આશય બરાબર ઝળકતું હોય એમ તે જણાય છે. કર્મવૃત સ્થિતિમાં ચેતન અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અનેક ગતિમાં જાય આવે છે અને અનેક રૂપ ધારણ કરે છે, કેઈ વાર એ પાણી માગે ત્યાં એને દૂધ મળે છે અને કઈ વાર દિવસ સુધી અન્ન વિના એને લાંઘણ કરવી પડે છે; કેઈ વાર એનાં દર્શન કરવા હોય તો અનેક પહેરેગીરની રજા લેવી પડે છે અને કઈ વાર એ ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાય છે (શાક ભાજીમાં ઉત્પન્ન થયો હોય ત્યારે ); કઈ વાર એ મોટા મલને પણ ભારે પડે છે અને કઈ વાર વ્યાધિગ્રસ્ત શરીરવાળા હોવાથી તદ્દન નિર્બળ રહે છે; કઈ વાર હજારોને ભારે પડે છે અને કોઈ વાર હજારથી ધકેલા ખાય છેઆવી સ્થિતિમાંથી તેને ઊંચા આવવાનો માર્ગ શોધતાં ચેતના વિચારે છે કે-પ્રથમ પતિને બહિરાત્મભાવ છેડાવો જોઈએ અને તેને ખરો માર્ગ એ છે કે-એને અનુભવજ્ઞાન આપવું અને તે થયા પછી તે બન્યું રહે તેવા ઉપાયે જવા. એ અનુભવજ્ઞાન માટે આ પદમાં બહુ લખાયું છે; કારણ કે એને ઉપયોગ અંતરાત્મ ભાવમાં લય થઈ પરમાતમભાવ પ્રગટ કરવા માટે બહુ સારા થાય છે. બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે – અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસ ૫, અનુભવ મારગ મેખકે, અનુભવ મેખ સરૂ૫. અનુભવકે રસકે રસાયન કહત જળ, અનુભવ અભ્યાસ ચહે તીર થકી કેર હે, અનુભવકી જે રસ કહાવે સેઈ પિરસાસુ, અનુભવ અધેરાસે ઉરપકી દેર છે; અનુભવ કેલી યહે કામધેનુ ચિત્રાવેલી, અનુભવકે સ્વાદ પંચ અમૃત કેર હે; અનુભવ કરમ તારે, પરમસું પ્રીતિ રે, અનુભવ સમાન ન ધરમ કેક ઓર . એવા અનુભવને બરાબર સમજવાની ખાસ જરૂર છે. અનુભવનું શિક્ષણ એ છે કેવસ્તુસ્વરૂપને બરાબર તેલ કરી તમારું પિતાનું હોય તે વિચારો અને તેને આદર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy