SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમ' પ ૧ નજીક જાય ત્યારે તેની ચેતના વિશુદ્ધ, વિશુદ્ધતર થતી જાય છે. વળી અનુભવ હાય તે સમતા બની રહે છે, નિ તે ચાલી જતાં વખત લાગતા નથી. આવી રીતે અનુભવ અને સમતાને બહુ નજીકના અને અરસ્પરસ એક બીજા ઉપર કાર્યકારણુરૂપ સ્નેહસ ́બંધ છે. આ ગાથાનેા ભાવ એ છે કે-અનુભવ દ્વારા સમતા પ્રાપ્ત કરવી અને ચૈતનજીએ પેાતાનું સહજ સ્વરૂપ પ્રગટ કરવું. જ્યારે ગવૈયાની ટોળી ગાવા બેઠી હોય છે ત્યારે એવા રિવાજ છે કે ગાન મધ કરવું હાય ત્યારે એમ કહે કે ' હવે ધનાશ્રી કરેા ' એટલે હવે છેલ્લા ધનાશ્રી રાગ ખેલી ગાવાનું કામ આટોપી લેા. આપણા દેવમ ંદિરમાં રાત્રે જે પ્રમાણે વધાઇ ખેલવાના રિવાજ છે ( જે વધાઈ પણ ઘણુ ખરું' ધનાશ્રી રાગમાં જ હાય છે) તેવી રીતે ગવૈયાએ પશુ છેવટે ધનાશ્રી ખેલે છે. એ Gd Save the King નેશનલ એન્થમ જેવું છેવટનુ ગીત સમજવું, શ્રીયશોવિજયજીકૃત સાડાત્રણુસા ગાથાના સ્તવનની છેલ્લી ઢાલ જેમ સંપૂર્ણ તાસૂચક ધનાશ્રી રાગમાં છે તેવી રીતે બીજા પણ રાગના ગ્રંથમાં છેલ્લા ધનાશ્રી રાગ આવે છે; પૂજાઓમાં બહુધા તેમ જ હાય છે. અહીં ચેતના ધનાશ્રી રાગમાં ગાન ગાતાં અનુભવને કહે છે કે તમે ગમે તેમ કરીને પતિને લઇ આવી મારા મેળાપ કરાવા અને નહિ તે પછી ધનાશ્રી કરા એટલે તમે વિદાય થઇ જાઓ; હાલ તુરતને માટે એ વાત પડતી મૂકે. જો મહેનત કરવાથી પતિ મારે મંદિરે પધારે નહિ અને તમે પણ માંઘા થતા હૈ। તા પછી હાલ એ વાત જવા દેવી એ જ ઠીક છે. ટબાકાર આ ગાથાના ભાવ બતાવતાં કહે છે તેના આશય આ પ્રમાણે છે. અત્યાર સુધી જે આત્માનું વર્ણન કર્યું છે તે તે અહિરાત્મા છે એટલે એ પરપરિણતિને પોતાની માને છે, પૌલિક ભાવામાં લાલુપતા રાખે છે અને ઉપર ઉપરની બાહ્ય ક્રિયામાં ઘેલે થઈ જાય છે. આવા હિરાત્માને સમજાવવું' તેા કઠન પડે, ઘણુ મુશ્કેલ પડે, તેથી તેને મૂકી દઈને અંતરાત્માને જાગ્રત કરી પરમાત્મભાવને વિચારવાની ખાસ જરુર છે. એમાં અનુભવને ભજવાની ખાસ જરુર એટલા માટે છે કે એને લઈ આવીને મેળવી શકે એવે અનુભવ મિત્ર જ છે. એ જ્યારે હાય છે ત્યારે તે ચેતનના બહિરાત્મભાવને દૂર કરી અંતરાત્મભાવમાં તેની સ્થિતિ કરાવી, પરમાત્મભાવ તેની પાસે ભજાવી તેને આનધનની સ્થિતિ મેળવી આપે છે. એ પ્રમાણે હાવાથી અહીં ચેતના અનુમવને કહે છે કે-તું મારા મિત્ર છે અને હું તારી મિત્ર છું તેથી આપણા વચ્ચે અંતર શુ કરવા જણાવે છે, એવા આંતરશ હાય જ શા માટે ? છે જ ક્યાં ? ખરેખર એવા આંતા આપણા વચ્ચે હાય જ નહિ, માટે હું અનુભવ! જો તમે મારું હિત વિચારતા હા તેા હવે ક્ષણુ માત્ર વિલંબ ન કરેા, હવે મારાથી પતિવિરહ ખમાતા નથી; તેથી આનંદના ઘનસંધન મારા સામર્થ્યવાન્ આત્મારામ ભર્તારને લાવીને મને મેળવી આપે, જે ન મેળવી આપે તે તમે પણ ધન્યાસી કરા; એટલે કળાવત ગાનારને શીખ દેવી હાય તે તેને કહેવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy