Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 555
________________ પચાસમુ ૫૮ કઈ વાર ધનાઢ્ય હોય તેવાં રૂપ બનાવે છે, કેઈ વાર તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ રૂપને અને કઈ વાર અત્યંત મલિન રૂપને બનાવે છે. આવાં નવાં નવાં રૂપ ધારણ કરનાર પતિને અનુભવ ! તું કેવી રીતે મનાવીશ? ધન એટલે આત્મિક સંપત્તિ સમજવી અને નિર્મળ એટલે સામાન્ય દ્રવ્યમાળથી રહિત અથવા એટલે કર્મમળ ઉતરી જાય તેટલા પૂરતા નિર્મળ. આ પ્રમાણે નિર્મળ શબ્દનો અર્થ કરવાનું કારણ એ છે કે-સર્વથા નિર્મળ તે તે જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે જ થાય છે. નિર્મળતાના અંશને અહીં ગ્રહણ કરીને નિર્મળત્વ દેખાડ્યું છે. વ્યવહારમાં પણ બહુ મેલવાળા શરીરને જરા સાબુ લગાડવાથી નિર્મળ થયેલ માનવામાં આવે છે. આવી રીતે ધન અને મેલને અંગે જુદાં જુદાં રૂપે ચેતન બનાવ્યા કરે છે, તેને એક સરખે નિયમ નથી અને તેને એક ધડે પણ નથી. આવી રીતે વિચિત્ર વર્તન કરતાં મારા નાથે કેવી રીતે મનાશે અને ઠેકાણે આવશે? અનુભવ ! આવા પતિને તું કેમ સમજાવીશ તે મને કહે. તું ઘણે પ્રયાસ કરે છે પણ તારે પ્રયાસ કેવી રીતે સફળ થશે તે તું મને જણાવ. મારા પતિનું વર્તમાન ગાઢ મિથ્યાત્વ અને તેના અપ્ત રંગે જોતાં તારા માર્ગમાં બહુ મુશ્કેલી અને તે જણાય છે અને પતિનું વર્તમાન સ્વરૂપ વિચારતાં તારો પ્રયાસ મને લગભગ અશકય જેવો લાગે છે, માટે હવે તું એ સંબંધમાં કેવી રીતે કામ લેવાનું ધારે છે તે મને બરાબર જણાવ. આ પદને ટબ મને મળી ગયો છે. તેને ભાવ લગભગ ઉપર કહ્યો તે જ પ્રમાણે છે. ટબાકાર આ ગાથાને અર્થ કરતાં લખે છે કે-આત્માને પુદગળમાં લેલીભૂત જોઈને અનુભવ એટલે સ્વરૂપજ્ઞાનને શુદ્ધ ચેતના કહે છે કે-હે અનુભવ ! તમે કહે તે ખરા કે ભર્તાર કેમ માની જશે? એની વર્તમાન રીતભાત જોતાં એ આપણું કથનમાં કેવી રીતે આવશે ? એ ક્ષણવારમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધનથી રહિત અને ક્ષણવારમાં તે જ ધનથી યુક્ત સધન થઈ જાય છે, વળી તે જ આત્મા ક્ષણવારમાં નિર્મળ સ્વરૂપજ્ઞાની અને તે જ ક્ષણને અંતે અનંતાનુબંધી કષાયની ચેકડીના ઉદયથી મહામેલવાળો દેખાય છે. આવા અસરગી આત્માને તું કેમ મનાવીશ એટલે રહસ્યાર્થી એને મનાવવા એ ઘણી મુશ્કેલ બાબત છે. ચેતનજીના વિચિત્ર કંગો કેવા પ્રકારના છે તે જરા વિવેકદ્રષ્ટિપૂર્વક અવલોકન કરવાથી જણાઈ જાય તેવું છે. શુભ ઉપદેશનું શ્રવણું મનન કરી તે કાંઇ નિશ્ચય અથવા નિર્ણ કરે છે અને પાછા વ્યવહારમાં પડતાં સર્વ ભૂલી જાય છે; વાતો કરે છે ત્યારે ડાહ્યો લાગે છે અને વર્તન કરે છે ત્યારે ગાંડ જણાય છે; ભાષણ આપે છે ત્યારે દુનિયાનું મેટું ડહાપણ તેનામાં હોય તે દેખાવ બતાવે છે અને વ્યવહાર કરે છે ત્યારે કી * ટબાકાર તેને માટે અતરંગી શબ્દ વાપરે છે તે અણનું પ્રાકૃતરૂપ સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604