Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ છે. અર્થાત્ ક્ષાયિક સખ્યત્ત્વ પ્રાપ્ત કરે છે તેનાથી તે જ ભવે કે મધ્યમ અને જઘન્યથી ત્રીજે કે ચોથે ભવે ઉત્તર શ્રેણી આરોહીને કેવળજ્ઞાન પામે છે. પછી જ્ઞાન-દર્શન પ્રકાશ નિરંતર રહે છે. ક્ષાપિકત્વ પ્રદાન જ્ઞાન અને દર્શનમાં આત્માને સંયોજીને પ્રતિસમયપરઅપર ઉપયોગ રૂપતાથી આત્મસાત્ કરતો ભવસ્થ કેવલી રૂપે વિચરે છે.
• સૂત્ર • ૧૧૭૫ -
ભગવાન ! ચારિત્ર સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચારિત્ર સંપન્નતાથી લેશીભાવને પામે છે. શૈલીથી પ્રતિપક્ષ અણગાર ચાર કેવલિ કમલેશોનો ક્ષય કરે છે. પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવણિતા પામી સર્વ દુઃખોનો અંત કરે છે.
• વિવેચન - ૧૧૫ -
ચારિત્ર સંપન્નતાથી શેલેશી ભાવને પામે. શેલેશી - શૈલ એટલે પર્વત, તેના સ્વામી તે શૈલેશ - મેરુ. તેની માફક. મુનિ નિરુદ્ધ ચોગથી અત્યંત સ્વૈર્યથી તે જ અવસ્થા તે શેલેશી. અથવા અશલેશનું શેલેશી થવું તે શેલેશીભાવ - ૪ - - - તેને પામે છે. શૈલેશી પ્રતિપન્ન તે અંતર્મુહૂર્ત રહે છે. પછી શેષ કમોં ખપાવીને યાવત મોક્ષે જાય છે.
• સૂત્ર - ૧૧૭૬ -
ભગવાન શ્રોએન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? તેનાથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં થનારા રાગ અને દ્વેષનો નિગ્રહ કરે છે. પછી શબ્દ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્ભર કરે છે. ( ૯ વિવેચન - ૧૧૭૬ -
ચાસ્ત્રિ ઇંદ્રિયના નિગ્રહથી જ પામે છે, તેથી પ્રત્યેક ઇંદ્રિયનો નિગ્રહ કરે છે. તેમાં શ્રોબેન્દ્રિય નિગ્રહ - સ્વ વિષયમાં અભિમુખ દોડતી ઇંદ્રિયનું નિયમન કરવાથી અભિમત કે અનભિમત શબ્દોમાં અનુક્રમે રાગ અને દ્વેષનો નિગ્રહ થાય છે. તથા તે નિમિત્તે બાંધેલા પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા શ્રોબેન્દ્રિયના નિગ્રહથી શુભ અધ્યવસાયમાં પ્રવૃતતાથી થાય છે.
• સૂત્ર - ૧૧૭૭ થી ૧૧૮૦ -
ભગવાન ! ચક્ષુ ઇંદ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચક્ષ ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ - દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક, કમને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્જરી કરે છે.
ભગવન ! ધાણ ઇંદ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધાણ ઉદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ ગંધોમાં થનારા રાગ - ઢનો નિગ્રહ કરે છે. પછી ગંધ - નિમિતક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org