Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૪૭૪ - પુદ્ગલોને વિચટનથી કે ચટનથી શોષે છે, ધારણ કરે છે અથવા પોષે છે તેને સ્કંધ કહે છે. સ્કંધનો દેશ- ભાગ,તે સ્કંધ દેશ. તે સ્કંધોના પ્રદેશ - નિરંશ ભાગો, તે સ્કંધ પ્રદેશ. પરમ એવા તે અણુ-પરમાણુ એટલે નિર્વિભાગ દ્રવ્યરૂપ. રૂપીદ્રવ્યના આ ચાર પ્રકારો છે. - અહીં દેશ અને પ્રદેશના સ્કંધમાં અંતભવથી સ્કંધ અને પરમાણુ એ બે ભેદ સંક્ષેપથી રૂપી દ્રવ્યના ભેદો જાણવા. તે બંનેના લક્ષણો કહે છે - એકત્વ - સમાન પરિણતિ રૂપથી, પૃથકત્વ - બીજા પરમાણુના અસંઘાત રૂપથી લક્ષ્ય કરાય છે તે. સ્કંધ અને ભિન્ન ક્રમત્વથી પરમાણુ, સ્કંધો જ પરમાણ રૂપે સંહત છે. પરમાણુની પરમાણુથી અસંહાતિ છે. અથવા આ સ્કંધ અને પરમાણુ રૂ૫ બે ભેદ કઈ રીતે કહ્યા? એકપણાથી, બેના ત્રણના ચાવત અનંત કે અનંતાનંત પૃથતિ પરમાણુના અન્યોન્ય સંઘાતથી દ્વિપદેશિકQદિરૂપ સમાન પરિણતિરૂપ એક ભાવથી છે, તથા પૃથકત્વ - મોટા સ્કંધોથી વિચટનરૂપ ભેદથી છે. - x x- તેમાં એકત્વથી કેટલાક અણુઓ વડે સંહન્યમાનતાથી એક પરિણતિરૂપથી, પૃથકત્વથી તે સમયે જ કેટલાંક અણુના વિચટનથી ભેદ રૂપ સ્કલ્થ - તે દ્વિપદેશાદિ ઉત્પન્ન થાય છે. - *- X એકત્વથી અસહાત્વથી લક્ષિત જે પૃથકત્વથી કંધો થકી વિચટનરૂપ, તેના વડે ઉત્પન્ન થાય છે. એકત્વ વિશેષણ, જે અસહાય દ્વિઅણુકાદિનું વાસ્તવમાં એકત્વ પરિણત છતાં દેશાદિની બુદ્ધિથી પરિકભિત સ્કંધોથી પૃથકત્વ, તેનાથી પરમાણું ન. ઉપજે તેમ કહે છે. આને જ ક્ષેત્રથી કહે છે - • સૂત્ર - ૧૪૭૫ - પરમાણુના એકવ થવાથી સ્કંધ થાય છે. સ્કંધોના પૃથક થવાથી પરમાણ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાથી છે. ક્ષેત્રની અપેક્ષાથી તે સ્કંધ આદિ લોકના એક દેશથી લઈને સંપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે - અસંખ્ય વિકારૂપ છે. અહીંથી આગળ અંધ અને પરમાણુના કાળની અપેક્ષાથી ચાર ભેદોને હવે હું કહું છું. • વિવેચન - ૧૪૭૫ - લોક - ચોદ રાજરૂપનો ક દેશ - એક, બે આદિ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશરૂપ પ્રતિનિયત ભાગ લોકનો એક દેશ તે લોકમાં ભાગથી દર્શનીય છે. તે સ્કંધ અને પરમાણુઓ ક્ષેત્રને આશ્રીને છે. અને અહીં અવિશેષ કહેવા છતાં પરમાણુનો એક પ્રદેશ જ અવસ્થાનથી સ્કંધ વિષય જ ભાજતા જાણવી, તે જ વિચિત્રત્વથી પરિણતના બહુતર પ્રદેશોથી ઉપચિત પણ કેટલાંક એક પ્રદેશમાં કહે રહે છે. - ૪- બીજા સંખ્યાત પ્રદેશોમાં યાવતુ અકલ લોકમાં પણ તથાવિધ અચિત મહાત્કંધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226