Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ ૩૬/૧૪૭૯ થી ૧૫૧૦ ૧૯૧ છે. સ્નિગ્ધ તે ઘી આદિવત છે અને રૂક્ષ તે ભૂતિ આદિવ છે. -૦- હવે ઉપસંહાર કહે છે - આ પ્રમાણે સ્પર્શ પરિણત આ સ્કંધ આદિ અને પૂરણ - ગલન ધર્મથી પુગલો તીર્થકર આદિ વડે સમ્યક પ્રતિપાદિત થયેલા છે. જેના વડે સ્કંધ આદિ સમ્યક સ્થિતિ રહે છે તે સંસ્થાન, તે રૂપ પરિણત. હવે આ વર્ણાદિ પાંચેનો પરસ્પર સંવેધ કહે છે - વર્ણથી જે સ્કંધાદિ કૃષ્ણ હોય, તે વળી બંને ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી ભાજ્ય છે. આ અન્યતર રસાદિને યોગ્ય થાય છે. તે ભંગો આ પ્રમાણે છે - (૧)અહીં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શી, પાંચ સંસ્થાન આ બધાં મળીને ૨૦ ભેદ થાય, તે કૃષ્ણવર્ણમાં આટલા ભંગો પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે (૨) નીલવર્ણમાં ૨૦ ભેદો, (૩) લોહિતમાં પણ ૨૦ ભેદો, (૪) પીતવર્ણમાં ૨૦ ભેદો, (૫) શ્વેતવર્ણમાં પણ ૨૦ ભેદો એમ ૧૦૦ ભેદ થાય. ગંધથી - જે ઝંઘાદિ થાય તેમાં સુરભિ ભાજ્ય હોય, તે વર્ણથી કૃષ્ણાદિમાંનો કોઈપણ વર્ણવાળો થાય. એ પ્રમાણે રસથી અને સ્પર્શથી પણ ભાજ્ય છે, સંસ્થાનથી પણ ભાજ્ય છે. આ રસ આદિ ૧૮ છે, તે પાંચ વર્ષોથી મળીને શુભેદ થાય છે, એ પ્રમાણે દધ વિષયક પણ ૨૩ ભેદો જ થાય. તેથી બંને ગંધથી - ૪૬ - ભંગો પ્રાપ્ત થાય, રસથી-તિક્ત આદિ. જે સ્કંધો ભાજ્ય છે તે વર્ણ-ગંધ- સ્પર્શ અને સંસ્થાનથી ગણતા કુલ ૨૦ ભેદો થાય. એ પ્રમાણે કટુના - ૨૦, કષાયના - ૨૦, આમ્સના - ૨૦, મધુરના - ૨૦ એ બધાં મળીને રસપંચકના ૧૦૦૦ ભેદ. સ્પર્શથી - કર્કશ. જેનાથી સંઘાદિ ભાજ્ય છે. તે વર્ણ, ગંધ- રસ - સંસ્થાનથી પણ ભાજ્ય છે. તે વર્ણાદિ કુલ-૧૭ થશે. તેના યોગથી ૧૭ ભંગો પ્રાપ્ત થશે. આવા - ૧૭ - ૧૭ ભંગો મૃદુ આદિ બીજા સાતે સ્પર્શથી ૧૩૬ જાણવા. સંસ્થાન-પરિમંડલથી જે વર્તે છે, તે સામાન્ય પ્રકમથી સ્કંધ છે, કેમકે પરમાણુના સંસ્થાનનો સંભવ નથી. તેને વર્ણ - ગંધ - રસ અને સ્પર્શથી ભાજ્ય કરતાં આ વણદિને આશ્રીને ૨૦ - ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બાકીના વૃત્ત આદિ ચારે સંસ્થાનથી ૨૦ - ૨૦ ભેદો પ્રાપ્ત થતાં સંસ્થાનના ૧૦૦ ભેગો થશે. એમ કુલ ૪૮૨ ભંગો થશે. આ પ્રમાણે પરિસ્થૂલ ન્યાયથી કહેલ છે, અન્યથા આ પ્રત્યેકના તારતમ્યથી અનંતત્વથી અનંતા ભંગો સંભવે છે. આ જે પરિણામનું વૈવિધ્ય છે, તે કેવળ આગમ પ્રમાણથી જ જાણવું. હવે ઉપસંહાર દ્વારથી ઉત્તરગ્રંથ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૧૧ - આ સંક્ષેપથી અજીવ વિભાગનું નિરૂપણ કરેલ છે. હવે ક્રમશઃ જીવ વિભાગનું હું નિરૂપણ કરીશ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226