Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 144
________________ દ્વીપ૦/૧૭૬ ૧૮૯ તે દેવશયનીયની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી મણિપીઠિકા કહી છે. એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બાહાથી સર્વમણીમયી આદિ પૂર્વવત્. તે મણિપીઠિકાની ઉપર ફુલ્લક મહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ અને વર્ણન મહેન્દ્રધ્વજવતું કહેવું. તે મહેન્દ્રધ્વજની પશ્ચિમમાં વિજયદેવનો ચોપાલ નામે એક પ્રહરણકોશ કહેલ છે. તે સર્વરનમય, સ્વચ્છ ચાવત પ્રતિરૂપ છે. તે કોશમાં પરિઘરના પ્રમુખ પ્રહરણરન રહેલા છે. જે નિર્મળ, અતિ તેજવાળા, તેથી જ તીણ ધારાવાળા આદિ હતા. તે સુધમસિભાની ઉપર ઘણાં આઠ-આઠ મંગલક હતા ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું ચાવતુ પ્રતિરૂપ હતી. • સૂત્ર-૧૩૭ : સુધમસિભાની ઉત્તરપૂર્વમાં એક મોટું સિદ્ધાયતન [જિનાલય] કહેલ છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઉક્ત ઉચ્ચવથી છે યાવતું ગોમાનસિકની વકતવ્યતા કહેવી. જે સુધમસિભાની વકતવ્યતા છે, તે સંપૂર્ણ પૂવવ4 દ્વાર, મુખમંડપ, ક્ષાઘર મંડપ, વજ, સૂપ, ચૈત્ય, મહેન્દ્ર દdજ નંદા પુષ્કરિણી, પછી સુધમની મનોગુલિકાનું પ્રમાણ, ગોમાનસીકા, ધૂપઘટિકા, જ પ્રમાણે ભૂમિભાગ, ઉલ્લોક ચાવ4 મણીઓનો સ્પર્શ કહેવો. તે સિદ્વાયતનના બહુમધ્યપ્રદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે બે યોજન લંબાઈ-પહોળાઈથી, એક યોજન બાહલ્યથી છે. સર્વમણીમયી, સ્વચ્છ» આદિ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેહછંદક કહેલ છે. તે બે યોજન લાંબો-પહોળો છે, સાતિરેક બે યોજન ઉM ઉંચો, સવરનમયાદિ છે. દેવછંદકમાં ૧૦૮ જિન [અરિહંત પ્રતિમા, જિન ઉત્સવ પ્રમાણ માત્ર સંનિપ્તિ રહેલી છે. તે જિન પ્રતિમાનું આવા પ્રકારે વર્ણન કર્યું છે. જેમકે - હથેળી તપનીયમય, નખો કરનમય અને તેનો મધ્ય ભાગ લોહિતાક્ષ રનોથી યુકત છે. પણ સુવર્ણમય છે, ગુફ-ઘુંટણ કનકમય છે, જાનૂ કનકમય છે. ઉર. કનકમય છે, ગઝલટીઓ કનકમય છે. નાભિ તપનીયમય છે, રોમરાજી રિસ્ટરનમય છે. ગુરુક તપનીયમય છે, શ્રીવત્સ તપનીયમય છે. બાહુ કનકમય છે. પાસળીઓ કનકમય છે. ગ્રીવા કનકમયી છે, મૂંછ રિટરનમય છે. હોઠ પ્રવાલરનમય છે. દાંત ફટિરનમય છે, તપનીયમય જીભ છે. તાળવું તપનીયમય છે. નાક કનકમયી છે, તેનો મધ્યભાગ લોહિતાક્ષ રનની લાલીમાવાળો છે. આંખો કરનની છે . તેનો મધ્યભાગ લોહિતાક્ષરતનની લાલાશવાળો છે, દૃષ્ટિ પુલકિત છે. આંખોની કીકી રિટરનમય છે. તેના અક્ષિત્ર અને ભ્રમર રિટ રતનમય છે. કપાળ સુવર્ણમય છે, કાન સુવર્ણમય છે, લલાટ કનકમય છે. શીર્ષ ઘટિકા વૃd-dજરનમય છે. શાંત કેશ ભૂમિ તપનીય સુવણની છે. કેશ રિટરનોના છે. ૧૯૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદર તે જિનપતિમાની પાછળ અલગ-અલગ છાધાર પ્રતિમા કહી છે. તે છત્રધાર પ્રતિમાઓ લીલાપૂર્વક કોરંટપુષ્પની માળાથી યુક્ત હિમ, રજત, કુંદ અને ચંદ્ર સમાન સફેદ આતમોને ધારણ કરીને ઉભી છે. તે જિનપતિમાના બંને પડખે અલગ-અલગ ચામરધારી પ્રતિમા છે. તે ચામરધારી પ્રતિમા ચંદ્રકાંતમણિ, વજ, વૈડૂદિ વિવિધ મણિ, સુવર્ણ અને રતનયુક્ત નિર્મળ મહાહ, તપનીય, ઉજ્જવલ વિચિત્ર દંડો અને શંખ-અંકરન-કુંદ-જલકણ, અમૃત મથિત ફીણના પંજની સર્દેશ સૂક્ષ્મ અને રજતમય દીધવાળ વાળી ધવલ ચામરોને લીલાપૂર્વક ધારણ કરી ઉભી છે. તે જિનપતિમાની આગળ બળે નાગપતિમા, બબ્બે યક્ષ પ્રતિમા, બબ્બે ભૂતપતિમા, બબ્બે કુંડધાર પ્રતિમાઓ વિનયપૂર્વક, પગે પડેલી, આંજલિ જોડેલી, સંનિક્ષિપ્ત રહેલ છે. સર્વ રનમય, સ્વચ્છ, Gu, Gષ્ટ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિયંક ચાવતુ પ્રતિરૂપ છે. તે જિનપતિમાની આગળ ૧૦૮ ઘંટા, ૧૦૮ ચંદન કળશો, ૧૦૮ ભૂંગા, એ પ્રમાણે ૧૦૮-૧૦૮ આદર્શક, શાલા, પાણી, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકરક, ચિત્ર, નકરંડક, હાકંઠક યાવતુ વૃષભ કંઠક, પુullી યાવતું લોમહdઅંગેરી, પુષ પટલક, તેલ સમુગક ચાવતુ ધૂપકડછા લઈને રહેલી છે. તે સિદ્ધાયતનની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ, છત્રાતિછો છે છે. ઉત્તમ આકારના સોળ પ્રકારના રનોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રનો ચાવત રિસ્ટ રનો વડે. • વિવેચન-૧૩૭ : સુધમસિભાની ઉત્તપૂર્વ દિશામાં એક મોટું સિદ્ધાયતન છે. તે શા યોજના લાંબુ, ૬ યોજન પહોળું, ૯ યોજન ઉંચુ છે, ઈત્યાદિ સર્વે સુધમસિભાવતું ગોમાનસી વક્તવ્યતા સુધી કહેવું. •x - જેમ સુધમસભામાં પૂર્વ-દક્ષિણ-ઉત્તરમાં ત્રણ દ્વાર છે. તે દ્વારની આગળ મુખમંડપ છે, મુખમંડપ આગળ પ્રેક્ષાગૃહ મંડપ છે. તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ પ્રતિમાસહિત ચૈત્યતૂપ છે. તે ચૈત્યવૃક્ષો આગળ મહેન્દ્ર જ છે. તે મહેન્દ્ર વિજની આગળ નંદા પુષ્કરિણી કહી છે. પછી સુધમસિભામાં ૬ooo ગુલિકા, ૬૦૦૦ ગોમાનસી કહી છે. તે બધું જ અહીં સંપૂર્ણ ક્રમથી કહેવું. ઉલ્લોક વર્ણન, બહુસમરમણીય ભૂમિ ભાગ વર્ણન તેમજ કહેવું. તે સિદ્ધાયતનના બમરમણીય ભૂમિભાગના બહમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહરાણી, સર્વમણીમયી આદિ પૂર્વવતુ. તે મણિપીઠિકાની ઉપર મહા દેવછંદક છે. સાતિરેક બે યોજન ઉંચી, બબ્બે યોજન લાંબી-પહોળી, સર્વથા રત્નમય ઈત્યાદિ પૂર્વવતુ. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમાં જિનોત્સવ પ્રમાણ માત્રાની ૫૦૦ ધનુષ પ્રમાણ સંનિક્ષિપ્ત રહેલી છે.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279