Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ नमो नमो निम्मलदंसणस्स जीवाजीवाभिगम [ जीवाजीवाभिगम आगमसूत्र १४ आगम प्रकार ‘उवंगसूत्र' મ- ૦૩ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૭૩ છે, ગાથા ૯૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૩૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: જીવાભિગમ આગમમાં ૧૦ વિભાગો છે, જેને ‘પ્રતિપત્તી’ કહે છે. જો કે તેની ત્રીજી પ્રતીપત્તીમાં ઘણાં પેટા વિભાગો છે, જેવા કે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ, દ્વીપ વગેરે. વળી આ નૈરિયેક, તિર્યંચ, વૈમાનિકાદિમાં પણ ઉદ્દેશા રૂપ પેટા વિભાગ છે. તેમજ દશમી સર્વજીવ પ્રતિપત્તીમાં પણ ૧૦ પેટા વિભાગો છે. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની પ્રચૂરતાવાળું ‘જીવાભિગમ’ આગમ ‘ઠાણાંગ’ સૂત્રનું ઉપાંગ ગણાય છે, તે પ્રશ્નોત્તર શૈલીથી રચાયેલ છે, તેના નામ મુજબ આ આગમમાં ‘જીવ’ અજીવ’ બે પદાર્થોનું નિરૂપણ છે. જો કે સૂત્ર ૩,૪,૫, બાદ કરતા સમગ્ર આગમમાં ‘જીવ’ વિષયક નિરુપણ જ છે. અહી જીવના ભેદો અનેકવિધપણે અને અતિ વિસ્તારથી નોંધ્યા છે. જીવાભિગમ આગમમાં ધ્યાનાકર્ષક વિષય છે- વિજયદેવનો અધિકાર, જેમાં વિજયદેવે સ્વ વિમાનમાં (જિનાલયમાં) બિરાજમાન શાશ્વત જિનપ્રતિમારૂપ રહેલા તીર્થંકરોની જળ આદિથી કરેલ પૂજાનું વિસ્તૃત વિધાન છે. જમ્મૂ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો, સૂર્ય-ચંદ્રાદિ જ્યોતિષ્ઠો અને ‘જીવ’ સંબંધી ભેદ-પ્રભેદોનું વર્ણન બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે એ પ્રમાણે દશ પ્રકાર સુધી જીવ-ભેદોનું કથન છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૪૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [14] [33]

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96