Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ नमो नमो निम्मलदंसणस्स चंदावेज्झय [ चन्द्रवेध्यक] आगम प्रकार ‘पईण्गणसूत्र' आगमसूत्र ३० મ- ૦૭ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૭૫ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ‘ચંદ્રવેધ્યક’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૭૫ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘ચંદ્રવેધ્યક’ આગમનો મુખ્ય વિષય (તેના સૂત્રકારશ્રીની પ્રતિજ્ઞા અનુસાર) વિનય, આચાર્યના ગુણ, શિષ્યના ગુણ, વિનયનિગ્રહના ગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણ અને મરણગુણ છે. ‘ચંદ્રવેધ્યક’ આગમની ગાથા ૪ થી ૨૧ સુધી ‘વિનય’ સંબંધી ગુણક્શન છે. ગાથા ૨૨ થી ૩૬ આચાર્યના ગુણોનું, ગાથા ૩૭ થી ૫૨ શિષ્યોના ગુણોનું, ગાથા ૫૩ થી ૬૭ વિનય-નિગ્રહના ગુણોનું, ગાથા ૬૮ થી ૯૯ જ્ઞાનગુણોનું, ગાથા ૧૦૦ થી ૧૧૬ ચારિત્રગુણોનું અને ગાથા ૧૧૭ થી ૧૭૩ સમાધિમરણના ગુણોનું કથન કરેલ છે. **** * કેટલાંક ‘ગચ્છાચાર’ પ્રકીર્ણકને સ્થાને ‘ચંદ્રવેધ્યક' પ્રકીર્ણકને આગમમાં ગણાવે છે, પૂજાની ઢાળમાં પણ ‘ચંદ્રેવેધ્યક’ આવે છે, તેથી અહી ચંદ્રેવેધ્યક નોંધ્યું છે. ‘ગચ્છાચાર’ આગમમાં પણ આ પ્રકારના જ વિષયો છે, તેનું ગાથા પ્રમાણ ૧૩૭ છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૭૫ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૭૫ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [30] [65]

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96