Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ आगमसूत्र ३८ नमो नमो निम्मलदंसणस्स जीयकप्प [ जीतकल्प] आगम प्रकार ‘छेदसूत्र' क्रम- ०५ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૦૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: આ ‘જીતકલ્પ’ છેદસૂત્ર આગમમાં અધ્યયન, ઉદ્દેશાદિ કોઈ વિભાગ નથી. સીધી ૧૦૩ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ‘જીતકલ્પ’ આગમનો મુખ્ય વિષય ‘ચરણકરણાનુયોગ' જ કહી શકાય. કેમ કે અહીં ‘પ્રાયશ્ચિત્ત’નો અધિકાર વર્તે છે, આ સૂત્રમાં આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારંચિત એવા દશ પ્રાયશ્ચિત્તને યોગ્ય કોણ? તેનું વર્ણન કરાયેલ છે. [હાલ આ છેલ્લા બે પ્રાયશ્ચિત્ત, અનવસ્થાપ્ય અને પારંચિતનો વિચ્છેદ થયેલો છે.] પ્રાયશ્ચિત્ત સિવાયના કોઈ જ વિષયનો આ જીતકલ્પ છેદસૂત્ર આગમમાં સમાવેશ કરવામાં આવેલ નથી. નોંધ:- (૧)‘જીતકલ્પ’ સૂત્રની છેદસૂત્રરૂપે સ્થાપના પછીથી થયેલ છે. તે પૂર્વે ‘પંચકલ્પ’ છ છેદસૂત્રમાં એક છેદસૂત્ર ગણાતું હતું, પણ તેનો કાળક્રમે વિચ્છેદ થયો હતો. (૨) ‘જીતકલ્પ’ સૂત્રના રચયિતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. [ આ સૂત્ર ઉપર તેમનું જ રચેલું સ્વોપજ્ઞ ભાષ્ય પણ છે.] આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૦૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૦૩ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [38] [81]

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96