________________
नमो नमो निम्मलदसणस्स
महानिसीह [महानिशीथ] | आगमसूत्र ३९ आगम प्रकार 'छेदसूत्र' ।
મ- ૦૬
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૨૫૨ છે, ગાથા ૧૫૩ છે. એ રીતે આગમમાં સૂત્રોનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ ગાથા માત્ર ૧૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
મહાનિશીથ આગમમાં વિભાગ રૂપે ૮ અધ્યયનો (૬ અધ્યયન + ૨ ચૂલિકા) છે.બીજા અધ્યયનમાં પેટા વિભાગ રૂપે ઉદ્દેશ પણ છે.
આગમનો મુખ્ય વિષય:
મહાનીશિથ' છેદસૂત્ર આગમમાં ચરણકરણાનુયોગ તથા કથાનુયોગ તો સ્પષ્ટ જ છે. અધ્યયન-૧માં શલ્ય(માયા-કપટ)રહિત થઈને જ પ્રાયશ્ચિત્ત લેવું તે જણાવે છે. પછી અધ્યયન-૨માં કર્મોના ફળ અને પ્રાપ્ત દુ:ખોનું વર્ણન છે તથા મૈથુનાદિના કટુ ફળો બતાવેલ છે. અધ્યયન-૩માં કુશીલ’નું સ્વરૂપ કહેલ છે, નવકાર આદિ સૂત્રોની અનુજ્ઞા માટેની ઉપધાન વિધિ બતાવી છે, દ્રવ્યપૂજા-ભાવપૂજા અધિકાર છે.અધ્યયન-૪માં કુશીલ સંસર્ગથી થતા નુકસાનમાં સુમતિ-નાગીલની કથા છે. અધ્યયન-૫માં ગચ્છનું સ્વરૂપ,ગચ્છવાસ-વર્ણન આદિ છે વજ ગચ્છાધિપતિની કથા છે. અધ્યયન-૬ નંદીષેણ વગેરેની કથા છે. ચૂલિકા-૧ [અધ્યયન-૭] માં “સમગ્ર પ્રાયશ્ચિત્ત’ વિધાન બતાવેલ છે. ચૂલિકા-૨ [અધ્યયન ૮)માં સુસઢની કથા છે, આ કથા અત્યંત માર્મિક અને અનેક પેટા કથાઓ વડે યુક્ત છે. નિશીથ સૂત્રની અપેક્ષાએ આ સૂત્રનું પ્રમાણ મોટું હોવાથી મહાનિશીથ કહેવાય છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને આશરે ૪૫૪૮ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી 391
[23]