________________
नमो नमो निम्मलदंसणस्स
पुप्फ़चूलिया [पुष्पचूलिका] आगमसूत्र २२ आगम प्रकार 'उवंगसूत्र'
क्रम- ११ ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર ૧ છે, ગાથા પણ ૧ જ છે. એ રીતે આ આગમમાં સૂત્રનું અને તેની ગાથાનું પ્રમાણ સંપૂર્ણ સરખું જોવા મળે છે.
આગમનો વિભાગ:
પુષ્પચૂલિકા' આગમને ઉપાંગના ચોથા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી.
આગમનો મુખ્ય વિષય:
નિરયાવલિકાદિ પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ જેને ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ પુષ્પચૂલિકા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહીં શ્રીદેવી, શ્રીદેવી, આદિ ૧૦ કથાનકો છે. જેમાં “શ્રીદેવી'નું ભગવંતના વંશનાર્થે આવવું, નૃત્યવિધિ દેખાડવી, પૂર્વભવ પૃચ્છા, પૂર્વભવે ભૂતા કન્યા, તેણીની દીક્ષા, તેણીનું શરીર-બકુશિકા થવું, અનેક તપશ્ચર્યાપૂર્વક શ્રમણીપર્યાય પાળી સૌધર્મકલ્પ “શ્રીદેવી' રૂપે ઉત્પન્ન થવું. આગામી ભવે મહાવીદેહે, મોક્ષ. આ પ્રમાણે સર્વે કથા જાણવી તેમ સૂત્રમાં કહેલ છે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી.
આગમનું શ્લોક પ્રમાણ:
નિરયાવાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [22]
[49]