Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ પરાગ
[ ૨૫૦ અધ્યાત્મકણિકાઓ ]
: પ્રકાશક: વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Shila Shah & Smita Rajani who have paid for it to be "electronised" and made available on the internet in memory of their father Kantibhai Kotecha.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Adhyatma Paraag is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh.shah@totalise.co.uk so that we can make this beautiful work even more accurate,
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Version Number
Changes
001
29 May 2002 First electronic version.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
: પ્રકાશક: વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ પ૮૦, જાની માણેકવાડી,
ભાવનગર-૩૬૪૦૦૨
પ્રથમ આવૃત્તિ સંવત્ ૨૦૩૬
પ્રતઃ ૨000 દ્વિતીય આવૃત્તિઃ સંવત્ ૨૦૩૭
પ્રત: ૧OOO
: મુદ્રકઃ સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
(દ્વિતીય આવૃત્તિ પ્રસંગે) આ નાના અધ્યાત્મ-ગ્રંથની બે હજાર નકલ પ્રથમ આવૃત્તિની છપાયેલ, ત્યારે તુરત જ વેચાઈ ગઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અનેક મુમુક્ષુઓ તરફથી માંગણી રહ્યા કરી છે. વાંચકવર્ગમાં આ ગ્રંથ પ્રિય થવાથી અમોને પ્રમોદ થાય છે. તેથી આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવેલ છે સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષુઓ અવશ્ય લાભ લ્ય તેવી ભાવના.
સં. ૨૦૩૭ આસો સુદ-૧૫
તા. ૧૩-૧૦-૮૧
લી. ટ્રસ્ટીગણ શ્રી વીતરાગ સત સાહિત્ય
પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
પૃષ્ઠક
. |- |- | ૪ |
* અનુક્રમણિકા *
વિષય ૧. | પૂ. ગુરુદેવનાં વચનામૃત
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત
| શ્રી નિહાલચંદજી સોગાનીજીનાં વચનામૃત ૪. | પૂ. બહેનશ્રીનાં વચનામૃત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્દગુરુ દેવાય નમઃ
* અધ્યાત્મ કણિકા *
(૧)
નમઃ સમયસારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત્સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરદે. (૨)
પૂર્ણાનંદનો નાથ ભરોસે ( શ્રદ્ધામાં ) જ્યારે આવે ત્યારે પર્યાયમાં આનંદની છોળ આવે છે.
(૩)
શ્રી ધવલમાં આવે છે કે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. મતિજ્ઞાનમાં જ્ઞાનનો પોકાર છે કે કેવળજ્ઞાન આવશે જ.
(૪)
પૂર્ણની કબૂલાત કરે છે, તે પૂર્ણ થાય છે. ( ૫ )
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ અધ્યાત્મ કણિકા
જ્યમ નિર્મળતા રે સ્ફટિક તણી,
તેમ જ જીવસ્વભાવ રે; શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો,
પ્રબળ કષાય અભાવ રે
(૭)
જ્ઞાયકભાવ શુભાશુભ ભાવરૂપે થયો નથી તેથી સમકિત થવાનો અવકાશ રહી ગયો છે.
(૮) જ્ઞાયકભાવ શુભાશુભ ભાવરૂપે નહિ થયો હોવાથી તેને પકડાવામાં તને સહેલાઈ લાગશે.
(૯) ત્રિકાળી ચીજ નજરે પડે તેને સમ્યગ્દર્શન પચવી શકે છે. સમ્યજ્ઞાન છે તે શુદ્ધાત્માનું પ્રકાશક છે, બધું જાણે છે. સમ્યક્રચારિત્ર દાહક છે, તે અશુદ્ધિને બાળે છે.
(૧૦) જેમ દરિયામાં ભરતી આવે છે, તેમ સંતોને અતીન્દ્રિય આનંદની ભરતી પર્યાયમાં આવે છે.
(૧૧) ભરતક્ષેત્રમાં ભગવાનના વિરહ પડ્યા. પણ જગતનાં ભાગ્ય કે ભગવાનની વાણી રહી ગઈ, જેણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૩ કેવળીના વિરહ ભુલાવ્યા.
(૧૨). ધર્મની જિજ્ઞાસાવાળાએ પહેલું શું કરવું? ચૈતન્યરત્નાકર એવા આત્માને પ્રથમ જાણવો.
(૧૩) એક સમયનું સમ્યગ્દર્શન ભવના અભાવના ભણકાર લાવે છે.
(૧૪) આખા વિશ્વ ઉપર જાણે કે તરતો હોય, એવો આત્મા છે. કેવળજ્ઞાનીઓથી પણ જુદો અને તરતો એવો આત્મા છે.
(૧૫)
અલ્પજ્ઞ પર્યાયમાં પૂર્ણ પરમાત્મા ભાસે છે.
(૧૬) વીતરાગમાર્ગ વીતરાગતાથી જ ઊભો થાય છે. વીતરાગના પંથે થતાં, વીતરાગતા હાથ આવે છે અને સાદિ અનંતનાં સુખ મળે છે.
(૧૭) આત્માને પર્યાય રહિત જાએ તે શુદ્ધનય છે, પર્યાય સહિત જુએ તે અશુદ્ધનય છે. જેમાં એકપણું નજરમાં આવે તે શુદ્ધનય, જેમાં બેપણું નજરમાં આવે તે અશુદ્ધનય.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪]
[ અધ્યાત્મ કણિકા (૧૮) અનંતકાળમાં ન પાડ્યો હોય, એવો રાગથી આંતરો પાડી લેજે.
(૧૯) સમયસાર ભરતક્ષેત્રનું અદ્વિતીય ચક્ષુ છે, ભાગવત શાસ્ત્ર છે, અજોડ શાસ્ત્ર છે, અશરીરી થવાનું અને સિદ્ધ થવાનું આ શાસ્ત્ર છે.
(૨૦) શુભભાવની દષ્ટિ છોડીને સ્વરૂપની દષ્ટિ કરે છે તે મર્દ છે. શુભભાવની દષ્ટિ છોડે નહિ તે તો નામદઈ છે.
(૨૧) ભાવેન્દ્રિયનો ઉઘાડ તે પરય છે. તેને સ્વજ્ઞયથી જાદુ પાડી, અને જ્ઞય બનાવે છે.
(૨૨) સંસારનું બીજ ચૈતન્યસ્વભાવનું અજ્ઞાન તે રાગદ્વષનું કર્તૃત્વ મનાવે છે. રાગદ્વેષનું કર્તૃત્વ થતાં અકર્તા એવો જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવ એની દષ્ટિમાં આવતો નથી. તેથી પરિભ્રમણનું મૂળ એવું રાગદ્વેષનું કર્તુત્વ એવું અજ્ઞાન એ જ સંસારનું બીજ છે.
(૨૩) મુક્તિનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ્ઞાનમાત્ર જ પર્યાય છે. તેમાં રાગમાત્રનો અભાવ છે. માટે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા] તેને જ્ઞાનમાત્ર કહ્યું છે. જ્ઞાનમાત્ર કહેતાં રાગમાત્રનો અભાવ બતાવે છે, પણ તેમાં દર્શન, શાંતિ, આનંદ આદિનો અવિનાભાવ છે તેથી તે જ્ઞાનમાત્ર પર્યાય જ મુક્તિનું કારણ છે.
(૨૪). ચિંતામણિ રત્ન નિજ પરમ પાવન પરમાત્માનું નિજ પરમ સ્વરૂપ તેના પ્રવાહની પરમ પ્રતીતિ અને તેમાં સ્થિરતા એ અમૂલ્ય ચિંતામણિ રત્ન છે કે જેનું મૂલ્યાંકન હોઈ શકે નહિ.
(૨૫) શાંતિનો, સુખનો અને પરમાત્મા થવાનો ઉપાય અનંતગુણસ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ, સુખનો ઉપાય છે.
(ર૬). જેને પરથી છૂટવું હોય એટલે કે સ્વતંત્રતા મેળવવી હોય અને સ્વની સંપદામાં એકતા કરવી હોય, એણે પ્રથમથી જ સંજોગો અને વિકારોથી રહિત દષ્ટિ કરી, સ્વાભાવિક અને પરિપૂર્ણ એવા નિર્વિકાર સ્વભાવમાં સ્થિરતા કરવી, એ પરથી પૂર્ણપણે છૂટવાનો એકમાત્ર ઉપાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬]
[ અધ્યાત્મ કણિકા (૨૭) અનાદિ અનંત એક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનું સ્વસમ્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે.
(૨૮) ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન કે જેમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર સમાય છે તે ભાવશ્રુત જ્ઞાનરૂપ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે છે, જે સર્વજ્ઞના સર્વ કથનનો સાર છે.
(૨૯) સત્સમાગમ, સહજ સ્વભાવની સમજણ અને સહુજ સરલતા વિના સંભવે નહિ; કારણ કે સહજ સ્વભાવ સરલ જ છે. તેથી સુખી થવા ઇચ્છનારે સહજ સ્વભાવ અને સહજ સરલતાની સંધિ કરવા સત્સમાગમ કરવો જોઈએ.
(૩૦) એક આત્મદ્રવ્યમાં એક ગુણ અનંતશક્તિસંપન્ન છે. એવા અનંત ગુણ અનંતશક્તિસંપન્ન હોવાથી તેનો આધાર એવું એકરૂપ દ્રવ્ય તે દષ્ટિનું ધ્યેય છે.
(૩૧) નિર્દોષ જેણે થવું હોય તેણે સદોષતા ક્ષણિક છે, ટળી શકે છે એવો નિર્ણય કરવો જોઈએ. અને સદોષતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
અધ્યાત્મ કણિકા ]
[ ૭
સ્થાનમાં નિર્દોષતા લાવવી છે, તે નિર્દોષતા મારા સ્વક્ષેત્રમાં સ્વભાવરૂપે પૂર્ણપણે પડી છે, એમ નિર્ણય કરવો જોઈએ.
( ૩૨ )
પરમ અકષાય શાંતરસસ્વરૂપ આત્મા કે જે એવી શાંતરસ આદિ અનંતશક્તિનો પિંડ છે, એવા ચૈતન્યરૂપ હિમાલયનો આશ્રય કરતો જીવ સંસારની આકુળતારૂપ વિષમ આતાપને ટાળે છે.
(૩૩)
ઉપાદેય શુદ્ધાત્મા સિવાય બીજા પાંચ દ્રવ્યો અને સંસારી જીવનું જ્ઞાન કરતા, જ્ઞાન કરનારને જ્ઞાન નથી તેમ સુખ નથી. શુદ્ધ સ્વભાવના જ્ઞાન કરનારને જ્ઞાન છે અને સુખ છે. માટે શુદ્ધાત્મા જ ઉપાદેય છે.
(૩૪)
અનેકાંત એ અમૃત છે કારણ સત્ સ્વપણે છે અને ૫૨૫ણે નથી. તેમાં સ્વનું હોવું તે પરના અભાવ-ભાવરૂપ હોવાથી સ્વની શાંતિ વેદાય છે, એ જ અમૃત છે. ( ૩૫ )
આત્મા સહજ આનંદસ્વરૂપ છે. તે ખરેખર દુઃખરૂપ નથી. કેમ કે પદાર્થનો સહજસ્વભાવ અવિકૃત હોય છે. તેથી અસલમાં દુ:ખ નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૮]
[ અધ્યાત્મ કણિકા
( ૩૬ )
પરિપૂર્ણ દ્રવ્યને લક્ષગત કરવામાં જે ભેદરૂપ જ્ઞાનનો પર્યાય, જે દ્રવ્યશ્રુત તરીકે છે તે સર્વશ્રુતપણાને પામે છે કેમ કે સર્વ સ્વભાવનો આર એવું જે અભેદ દ્રવ્ય તેને પકડવામાં તે નિમિત્ત થાય છે.
(૩૭)
આત્મામાં એક સુખશક્તિ નામનો ગુણ કે જેની અંતરશક્તિની મર્યાદા અનંત છે તેવા ગુણની બુદ્ધિ વડે આત્મરૂપ દ્રવ્યનો આદર કરતો પાંચ ઇન્દ્રિયોના-ઇન્દ્રો આદિના વિષયોને પણ હેય જાણી છોડે છે.
( ૩૮ )
પાંચ બોલે પૂરો પ્રભુ. ૫૨મ પારિણામિક ભાવ છું.
કારણપરમાત્મા છું.
કારણ જીવ છું.
શુદ્ધોપયોગોહં
નિર્વિકલ્પોહં
( ૩૯ )
આત્માનુભવ થતાં જે મતિશ્રુતજ્ઞાન પ્રગટયું તેનું અચિંત્ય સામર્થ્ય છે. દ્રવ્યને પૂરું જાણે ને લોકાલોકને પણ જાણે, આવડું જ એનું સામર્થ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૯
(૪૦)
એના જ્ઞાનમાં સંઘરે તો ખરો કે આ ત્રિકાળી વસ્તુના આશ્રય વિના ત્રણકાળમાં કલ્યાણ થવાનું નથી. અને એના વિના જે કાંઈ થાય છે, તે એકાંતે નુકસાન જ છે.
(૪૧)
વર્તમાન ઉદયમાં જીવ એટલો બધો રચ્યોપચ્યો રહે છે કે ભાવિના સાદિ અનંતકાળમાં મારું શું થશે? એ વિચાર પર એનું વજન નથી આવતું.
(૪૨)
વસ્તુની દૃષ્ટિ હશે તો મહા આનંદમાં મ્હાલશે, નહિ તો ચાર ગતિના ભયંકર દુઃખમાં પીલાશે.
(૪૩)
વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નય છે, બાકી મોક્ષમાર્ગ તો એકને મુખ્ય કરતાં જ થાય છે. વહેવારનયની ઉપેક્ષા તે જ તેનું સાપેક્ષપણું છે.
(૪૪)
66
તીર્થંકરદેવની વાણીમાં પરિપૂર્ણતાના ભણકાર કેમ આવે છે? તીર્થંકરદેવ પોતે, છદ્મસ્થ દશામાં હતા ત્યારે પૂર્ણ થાઉં, પૂર્ણ થાઉં” એવા વારંવાર વિકલ્પ આવતા હતા. તે વિકલ્પના ફળમાં જે પુણ્ય બંધાયું,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૦]
[ અધ્યાત્મ કણિકા તે પુણ્યના ફળરૂપે જે વાણી આવે છે, તેમાં પૂર્ણતાના જ રણકાર આવે છે.
(૪૫) એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી. આમ સમ્યકત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે, એમ સમજીને હે જીવ! એની આરાધનામાં તત્પર થા.
(૪૬) હજારો વર્ષના શાસ્ત્ર ભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.
(૪૭) મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિર્વિકલ્પ સ્વાનુભવ વડે થાય છે.
(૪૮) સંસારમાં ગમે તેવા કલેશના કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે પણ જ્ઞાનીને જ્યાં ચૈતન્યની સ્કૂરણા થઈ ત્યાં તે બધાય કલેશ કયાંય ભાગી જાય છે.
(૪૯) ચૈતન્યના અનુભવની ખુમારી ધર્મીના ચિત્તને બીજે કયાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧
અધ્યાત્મ કણિકા ] તૃત-તૃત છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજાં કાંઈ કરવાનું રહ્યું નથી.
(૫૦) આત્માનું અસ્તિત્વ જેમાં નથી, આત્માનું જીવન જેમાં નથી એવા પરદ્રવ્યોમાં ધર્માનું ચિત્ત કેમ ચોંટે? આનંદનો સમુદ્ર જ્યાં દેખ્યો છે, ત્યાં જ તેનું ચિત્ત ચોટયું છે.
(૫૧) અનુભવ એ ચિંતામણિ રત્ન છે, અનુભવ એ શાંતરસનો કૂવો છે, અનુભવ તે મુક્તિનો માર્ગ છે, ને અનુભવ તે મોક્ષસ્વરૂપ છે.
(પર) આ નિરાલંબી જ્ઞાન જગતમાં કોઈથી ઘેરાતું નથી. જ્ઞાન તો રોગથી કે રાગથી–બધાયથી અદ્ધર ને અદ્ધર જ રહે છે.
(૫૩) એક સેકંડમાત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મમરણનો નાશ કરનાર છે. એકમાત્ર સમ્યગ્દર્શન સિવાય જીવ અનંતકાળમાં બધું કરી ચૂકયો છે.
(૫૪). પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ અધ્યાત્મ કણિકા (૫૫) દ્રવ્યદષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ.
(૫૬) વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે, તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે ને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે.
(૫૭) ધ્રુવ આનંદદળ ઉપર નજર પડતાં જ પર્યાયને વિસામો મળી જાય છે. જ્ઞાન જ્ઞાયકમાં જામી જાય છે, સદાને માટે સુખી બની જાય છે.
(૫૮) અવ્યક્ત પદાર્થને આધીન થવું તે પરમાત્મા થવાનાં લક્ષણ છે. તેને આધીન થયો તે સુખી છે.
(૫૯) આ કાળે બુદ્ધિ થોડી, આયુ થોડું, સત્ સમાગમ દુર્લભ, તેમાં હે જીવ! તારે એ જ શીખવાયોગ્ય છે કે જેનાથી તારું હિત થાય ને જન્મમરણ મટે.
(૬૦). હું શુદ્ધ ચિતૂપ છું' એવા નિર્ણયથી શુદ્ધ ચિદ્રુપ પ્રાપ્ત થાય છે. તે શ્રુતસમુદ્રમાંથી નીકળેલું ઉત્તમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩
અધ્યાત્મ કણિકા ] રત્ન છે, સર્વ તીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે, સુખોનો તે ખજાનો છે, મોક્ષનગરીમાં જવા માટેનું તે ઝડપી વાહન છે, ભવના વનને બાળી નાખવા માટે તે અગ્નિ છે.
(૬૧) હે પ્રભુ! દિવ્યધ્વનિ દ્વારા આપે અચિંત્ય નિધાન જગતને બતાવ્યાં-એવાં નિધાન બતાવ્યાં કે મોક્ષાર્થી જીવો તેની પાસે મોટા મોટા રાજ્યપદને તુચ્છ તરણા જેવા સમજીને તેને છોડીને મુનિ થઈને તે ચૈતન્યનિધાનને સાધવા માટે વનમાં ચાલી નીકળ્યા.
(૬ર) સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે અસંખ્ય રત્નો ભર્યા પડ્યા છે તેમ ચૈતન્ય પ્રભુના તળિયે અનંતાનંત ગુણરત્નો ભર્યા પડ્યા છે.
(૬૩) એક સમયનું અનંતદુ:ખ એવું દુ:ખ અનંતકાળથી ચાલ્યું આવે છે; તેનો નાશ થાય અને આદિ અનંતનું અનંતસુખ પ્રગટે તેનો ઉપાય પણ અલૌકિક જ હોય ને!
(૬૪) ચામડાં ઉતરડીને ખાર છાંટે, એવી રાગની પીડા છે.
(૬૫) ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ કયાંથી જાણે ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
| [ અધ્યાત્મ કણિકા તેમ ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિય સુખના સ્વાદને ક્યાંથી જાણે? જેણે જ્ઞાનને અંતરમાં વાળીને અતીન્દ્રિય વસ્તુને કદી લક્ષગત કરી નથી, તેને અતીન્દ્રિય વસ્તુના અતીન્દ્રિય સુખની કલ્પના પણ કયાંથી આવે? જ્ઞાનીએ. ચૈતન્યના અતીન્દ્રિય સુખનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે.
(૬૬) હે જીવ! તારા અનંતગુણો જ તારા સદાયના સાથીદાર છે. આ સાથીદાર જ દુઃખથી તારી રક્ષા કરનારા ને તને સુખ આપનારા છે.
(૬૭) અરે ચૈતન્ય પ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તારી તાકાત છે.
(૬૮) એક આત્મદ્રવ્યમાં એક ગુણ અનંત શક્તિસંપન્ન છે. એવા અનંતગુણ અનંત શક્તિસંપન્ન હોવાથી એનો આધાર એવું એકરૂપ દ્રવ્ય તે દષ્ટિનું ધ્યેય છે.
(૬૯) ૪૭ શક્તિ આત્માનો વૈભવ છે. એવા વૈભવશાળી ભગવાન આત્માનું અંતરમાં ધ્યાન કરવાથી જ્ઞાન, આનંદરૂપી વૈભવ પ્રગટ થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
| [ ૧૫ (૭૦) આહા! મોક્ષમાર્ગી જીવનાં જીવોન કોઈ જુદી જાતનાં છે. પોતાના ચૈતન્યસ્વભાવ સિવાય બીજા બધાથી તેને ઉદાસીનતા છે. જગતના પ્રસંગોથી એમની પરિણતિ હલી જતી નથી. અંતરની અનુભવદશામાં ચૈતન્યના આનંદના દરિયા ડોલતા દેખ્યા છે. એમનું ચિત્ત હવે બીજે કેમ લાગે? આત્માના નિજવૈભવમાં લાગેલું ચિત્ત બીજે કયાંય લાગતું નથી.
(૭૧) સ્વાવલંબી ઉપયોગરૂપ સ્વરૂપને સાધીને જે ક્ષેત્રથી સિદ્ધ થયા, તે જ ક્ષેત્રે સમશ્રેણીએ ઊર્ધ્વ સિદ્ધપણે બિરાજે છે. તેના સ્મરણના કારણરૂપ આ તીર્થો નિમિત્ત છે.
(૭ર) સમ્યગ્દષ્ટિ થતાં સહજાત્મચૈતન્યનો સ્વામી થાય છે, તેનું ફળ મુક્તિ છે. તેથી વિપરીત મિથ્યા રુચિમાં પર પદાર્થ અને વિકારનો સ્વામી થાય છે, તે બંધનું કારણ છે.
(૭૩) અંતરના ઉતારા કરવામાં તારે ભેદને ભૂલવા પડશે. ભગવાન કહે છે કે મને તો ભૂલી જા, પણ તારા ગુણ-ભેદોને પણ ભૂલી જા, ત્યારે તને અભેદનો પત્તો લાગશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬]
[ અધ્યાત્મ કણિકા (૭૪) પ્રભુ, તને કેટલી વાર કહેવું કે તું પ્રભુ છો !
(૭૫) રાગના પરિણામ પુલના છે તેમ જણાય છે ત્યારે તે સિદ્ધના પંથે જાય છે, મોક્ષને માર્ગે ચડે છે, સાચું પ્રયાણ થાય છે.
(૭૬) આત્માની સોબન થઈ, આત્માનો પરિચય થયો તે પરિણતિ મુક્તિપથે જાય છે.
(૭૭) દષ્ટિમાં તારા દ્રવ્યને પચાવ. આ છે પ્રભુનાં કહેણ, તેને તું વધાવી લેજે.
(૭૮) અનંતવાર જીવે દ્રવ્યલિંગ પાળ્યું છે પણ ભવના અભાવનું કારણ-આત્મજ્ઞાન-ને એક સમયમાત્ર પણ સેવ્યું નથી.
(૭૯). અનુભૂતિ વડે જેણે મોક્ષને પ્રાપ્ત કર્યો. તેણે કરવાયોગ્ય બધું કરી લીધું.
(20) સના પંથે આવ્યા વિના સુખી નહિ થવાય.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૧૭
(૮૧)
ધર્મીએ આમ મંથન કરીને ભગવાનને મેળવવો કે જેનો નિર્વિભાવ મહિમા છે-કે જેમાં કારકભેદ, ધર્મના ભેદ કે ગુણભેદો છે નહિ.
(૮૨ )
એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું, એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પરાગ રહે, તે પરના પડખે જાય છે.
(૮૩)
અહો! મહાન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવનાં અમૃત વહેતાં મૂકયાં છે. આચાર્યદેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષહોને જીતીને પરમ સને જીવંત રાખ્યું છે. આચાર્યદેવના કથનમાં કેવળજ્ઞાનના ભણકાર વાગી રહ્યા છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે! આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર અપૂર્વ ચીજ છે. અને આ સમજણ તો મુક્તિને વ૨વાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮]
[ અધ્યાત્મ કણિકા (૮૪) પ્રથમ શ્રદ્ધા કરે કે નયપક્ષના વિકલ્પ રહિત મારું સહજ સ્વરૂપ છે; એકાકાર છે, એમ નિઃશંક થાય, પછી વિકલ્પ હોય તોપણ તે આગળ જવાનો છે; વિકલ્પ તોડશે અને સ્વભાવમાં જશે.
(૮૫) જિજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ.
(૮૬) પર્યાયમાં રાગ હોવા છતાં પણ, મારા સહજ સ્વરૂપમાં રાગ નથી, તે અપૂર્વ અંતરદષ્ટિની ચીજ છે.
(૮૭) સ્વના આશ્રયે થાય તે સમ્યજ્ઞાન છે. પર્યાય સ્વની હો કે પરની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંતગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે, ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ-જીવનો માર્ગ, કોઈ અલૌકિક છે!
(૮૮) જૈન કોઈ સંપ્રદાય નથી. ગુણસ્વરૂપ જે શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
અધ્યાત્મ કણિકા ]
[૧૯
ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે.
(૮૯ )
આત્મા સ્વાધીન જ્ઞાયકવસ્તુ છે. તે કદીપણ સ્વભાવે ભૂલરૂપ ન હોય.
(૯૦)
આત્માનો એકપણ ગુણ પરમાણુમાં ભળી ગયો નથી; તેમ ચૈતન્યગુણમાં નિમિત્તનો પ્રવેશ નથી; એમ અનુભવદશાના ભાન વડે પુરુષાર્થની જાગૃતિ સહિત જ્ઞાની કહે છે.
(૯૧)
સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે. અને અજ્ઞાનભાવ પરમાં ઠીક-અઠીક કલ્પના કરે છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
* શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત *
(૧) અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
(૨) અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો.
(૩) અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે-ગુત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી.
(૪) એક ભવના થોડા સુખ માટે અનંતભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે.
(૫) કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પ થવો દુર્લભ, તેવી અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે જિનેન્દ્રદેવે શમાવી દીધી !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
| [ ૨૧
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલધ્યાનનું અનન્ય કારણ છે. શુકલધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે.
(૭) દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહુપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
(૮) હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંત:કરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
(૯) સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
(૧૦) સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ અધ્યાત્મ કણિકા સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મ-સાધન રહ્યાં છે.
(૧૧) | સર્વ જિનાગમમાં કહેલાં વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે.
(૧૨) સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે.
(૧૩) માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છેઃ
અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?”
આ વાકયમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાકયમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ ૨૩ (૧૪) સસ્વરૂપને અભેદભાવે નમોનમઃ
(૧૫) નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત થાય છે.
(૧૬) સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; એ “પરમ દૈન્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
(૧૭) શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે.
(૧૮) લેવકો ન રહી કોર, ત્યાગી વેકો નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હે.
(૧૯)
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે, શુદ્ધતામું થિર હૈ, અમૃત ધારા વરસે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ અધ્યાત્મ કણિકા
(૨૦) એક દેખિયે જાનિયે, રમી રહિયે એક હોર, સમલ, વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહીં ઓર.
(૨૧). લોકોએ સાકરના શ્રીફળને વખાણી માર્યું છે, પણ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે.
(રર). હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં, તે વિશેષ કલ્યાણકારી છે.
(૨૩) ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે-તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે તે તીર્થકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.
(૨૪) તમતમપ્રભાનું દુઃખ મને માન્ય છે, પણ મોહનીયનું દુઃખ સંમત નથી.
(૨૫) જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૨૫ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.
(ર૬ ) અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે તે તાદાભ્ય નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે.
(ર૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહિ પણ તેથી અનંતગણી ચિંતા આત્માની રાખ; કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
(૨૮). “આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો” આ એક જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે.
(૨૯) વહેવારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે.
(૩૦) સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૬]
[ અધ્યાત્મ કણિકા
( ૩૧ )
યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે.
( ૩૨ )
હૈ મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત, અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે.
(૩૩)
દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યવીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.
(૩૪)
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હું નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?
( ૩૫ )
સર્વ દુ:ખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ ર૭ (૩૬) અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જાદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
(૩૭) વિચારદશા વિના જ્ઞાનદશા હોય નહિ.
(૩૮) અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે.
(૩૯) કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.
(૪૦) દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે - “જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું કયાં રહે છે?'
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮]
[ અધ્યાત્મ કણિકા (૪૧) આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જે આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે, તે છે.
(૪૨) જિન સોહી હૈ આત્મા, અન્ય હોઈ સો કર્મ, કર્મ કરે સો જિનવચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ
(૪૩) જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક, નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
(૪૪) વ્યવહારસે દેવ જિન, નિહુસેં હૈ આપ, એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ.
(૪૫) - જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
| [ ૨૯ (૪૬). આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પરવસ્તુના ત્યાગી થવું.
(૪૭) ધ્યાનદશા ઉપર લક્ષ આપો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો ઉપશમભાવ સહજ થશે.
(૪૮). સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો.
(૪૯) તારે દોષ તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.
( ૧૦ ) તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
(૫૧) | દિગંબરનાં તીવ્ર વચનોને લઈને રહસ્ય કંઈક સમજી શકાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
શ્રી નિહાલચંદજી સોગાનીજીનાં
* વચનામૃત *
(૧)
સિદ્ધસે ભી મેં અધિક હૂં કયોંકિ સિદ્ધ (દશ) તો એક સમયકી પર્યાય હૈ, ઔર મેં તો ઐસી ઐસી અનંત પર્યાયાંકા પિંડ હૂં
(૨) મેં વર્તમાનમેં હી મુક્ત હું, આનંદકી મૂર્તિ હું, આનંદસે ભરચક સમુદ્ર હી હૂંઐસી દષ્ટિ હો, તો ફિર મોક્ષસે ભી પ્રયોજન નહીં. મોક્ષ હો તો હો, ન હો તો ભી કયા?
(૩) મેં વર્તમાનમેં હી પરિપૂર્ણ હું, કૃતકૃત્ય હું, મેરે કુછ કરના-ધરના હૈ હી નહીં, ઐસી દષ્ટિ હોતે, પરિણામ મેં આનંદકા અંશ પ્રગટ હોતા હૈ ઔર બઢતા બઢતા પૂર્ણતા હો જાતી હૈ.
(૪) અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાતિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.” શ્રીમદ્દા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ ૩૧
અધ્યાત્મ કણિકા] યહ વાકય મુઝે બહોત પ્રિય લગતા હૈ.
દૂસરેસે સૂનના-માંગના સબ પામરતા હૈ, દીનતા હૈ, ભિખારીપણા હૈ. મેરેમેં કયા કમી હૈ, તો મેં દૂસરેસે માંગું? મેં હી પરિપૂર્ણ હૂં.
(૬) “અહો ! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ નુકસાનકર્તા છે” યહ બાત કહુનેકી કિસકી તાકત હૈ? વો તો ગુરુદેવકા હી સામર્થ્ય હૈ!
(૭)
શક્તિકી તરફ દેખે તો ઇતના ભારી ભારી લગતા હૈ કિ સારા જગત ફિર જાવે તો ભી વો નહીં ફિર સકતા હૈ, ઐસા ઘનરૂપ હૈ. ઉસમેં કુછ વિચલિતતા હી નહીં હોતી હૈ.
(૮) કુછ કરે નહીં તો ગમે નહીં ઐસી આદત (કર્તાબુદ્ધિ) હો ગઈ હૈ. લેકિન કુછ કરે તો ગમે નહીં ઐસા હોના ચાહિયે.
એક હી માસ્ટર કી (MASTER KEY) હૈ, સબ બાતોમેં-સબ શાસ્ત્રમ્ એક હી સાર હૈ. ત્રિકાલી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updafes
૩૨ ]
પણેમેં અપનાપન જોડ દેના હૈ.
[ અધ્યાત્મ કણિકા
( ૧૦ )
પૂ. ગુરુદેવશ્રી અપને લિયે અનંત તીર્થંકરસે અધિક હૈ. કોંકિ અપના કાર્ય હોનેમેં નિમિત્ત હુએ-ઇસલિયે. દૂસરા ઉન્હોંને યે બતાયા કિ ભૈયા! તુમ સિદ્ધ તો કયા, સિદ્ધસે ભી અધિક હો. અનંત સિદ્ધ પર્યાયે જહાંસે સદાય નિકલતી રહે, ઐસા તુમ હો. (૧૭૩)
( ૧૧ )
મૈં ઐસી ભૂમિ હૂં, જહાંસે ક્ષણ ક્ષણમેં નયા નયા ફલ ઉત્પન્ન હોતા હી રહતા હૈ. મેં અમૃતસર્સ હી ભરા હૂં, ઔર મૈં ઐસી ભૂમિ હૂઁ જહાં ફલકે લિયે જલકી ભી જરૂરત નહીં હૈ, કોંકિ મૈં સ્વયં હી સુખરૂપ હૂં, દૂસરે પદાર્થોકી અપેક્ષા હી નહીં. ( ૧૮૬ )
(૧૨)
અપન તો અપના સુખધામમેં બૈઠે રહો, જમે રહો, બસ યહી એક બાત કાયમ ૨ખ કરકે દૂસરી સરી સબ બાત ખતા લો. (૧૮૮ )
(૧૩)
વર્તમાનમેં હી મેં કૃતકૃત્ય હૂં ઐસી અપની વસ્તુમેં દષ્ટિ હુઈ તો ‘ કરું, કરું' ઐસી કર્તૃત્વબુદ્ધિ છૂટ ગઈ, બસ યે હી મુક્તિ હૈ. (૧૯૧)
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ ૩૩ (૧૪) મેં નિરાલંબી પદાર્થ હૈં ઐસા (નિર્ણય) આયે બિના અભિપ્રાયમેં (પરકા) આલંબન છૂટે હી નહીં. (૨૧૬)
(૧૫) સારી દુનિયાનો છોડકર ઇધર આયા તો ઇધર થપાટ લગાકર કહતે હૈં કિ અરે ભાઈ ! તૂ તેરી ઓર જા. (રપ)
(૧૬) પરિણામમેં ફેરફાર કરના, મુઝ (ચૈતન્ય) ખાણકા સ્વભાવ નહીં હૈ. પુરુષાર્થકી ખાણ હી મેં હૈં, ફિર એક સમયકા પુરુષાર્થમેં કરનેકી આકુલતા કયા? (૨૩૪)
(૧૭) યહાં (ત્રિકાલીમેં) અપનાપન આતે, મોક્ષ અપનેઆપ હો જાતા હૈ. દષ્ટિ યહાં અભેદ હુઈ તો યહી મુક્તિ સમજ લો. (ર૩૭)
(૧૮) સૂનકે કાલમેં ભી “મેં નિરાલંબી તત્ત્વ હું” યહાંસે હી શુરુ કરના ચાહિયે. ફિર સૂનને કરનેકા ભાવ આયેગા, લેકિન મુખ્યતા નહીં હોગી. (૧૪૧)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[ અધ્યાત્મ કણિકા (૧૯) લોગ દેખે કિ યહુ ચક્રવર્તી છહુ ખંડવાલા હૈ, ઔર ઉનકી દૃષ્ટિ તો હૈ અખંડ પર.
(૨૦) અનાદિકાલસે ભટકતે ભટકતે, જબ અપરિણામીમેં અપનાપન હુઆ કિ “મેં તો સદા મુક્ત હી હૂં” બસ! વો હી જીવનકી ધન્ય પલ હૈ. (૨૯૦)
(૨૧) (નિર્વિકલ્પ દશામું) બિજલીકા કરંટની માફિક અતીંદ્રિય સુખ પ્રદેશ પ્રદેશમે વ્યાપક હોકર પ્રસર જાતા હૈ. (૩૫)
(૨૨) (સ્વરૂપકી) ઐસી રુચિ હોની ચાહિયે કિ ઉસકે બિના ક્ષણ ભી ચેન ન રહે. (૩૩૧).
(૨૩) મોક્ષ હોવે-નહોવે, ઉસકી દરકાર નહીં. (અતીન્દ્રિય) સુખ ચાલુ હો ગયા, ફિર પર્યાયમેં મોક્ષ હોગા હી. (૩૩૫)
(૨૪) સબ શાસ્ત્રમ્ મૂલ તો અનુભૂતિ પર હી આના હૈ. (૩૪))
(૨૫) બિજલીકા કરંટ લગતે હી ભય લગતા હૈ ઔર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
૩૫ ઉસસે હટના ચાહતે હૈં. લેકિન ત્રિકાલી સ્વભાવમેં પ્રવેશ કરતે હી ઐસા આનંદકી સનસનાટી હોતી હૈ કિ ઉસ આનંદસે ક્ષણ ભી હટના નહીં ચાહતે હૈં. (૩૭૧)
(ર૬). ત્રિકાલી શક્તિમેં અપનાપન હોતે હી (દૂસરે) સબ આલંબન ઉખડ જાતે હૈં.
(૨૭) અસલમેં તો બલવાન વસ્તકા બલ આના ચાહિયે.
(૨૮) કેવલજ્ઞાનસે અપનેકો લાભ હોનેવાલા નહીં ઔર શુભાશુભભાવસે અપનેકો નુકસાન હોનેવાલા નહીં-ઐસા મેં તત્ત્વ હું. (૪૨૯)
(૨૯) એક એક બાજૂસે જાનને જાતે હૈ, તો અખંડ વસ્તુ જાનનમેં રહુ જાતી હૈ. (૪૪૦)
(૩) ) આત્માને એક એક પ્રદેશમેં અનંત અનંત સુખ ભરા હૈ. ઐસે અસંખ્ય પ્રદેશ સુખસે હી ભરપૂર હૈ. ચાહે જિતના સુખ પી લો. કભી ખૂટેગા હી નહીં. સદાય સુખ પીતે હી રહો ફિર ભી કમી નહીં હોતી. (૪૫૩)
(૩૧) વિકલ્પ ઊઠે તો ઐસા કહુના કિ હે ગુરુ! આપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ અધ્યાત્મ કણિકા મેરા સર્વસ્વ હૈ. (લેટિન) ઉસી સમય અભિપ્રાય તો કહતા હૈ મુઝે તુમ્હારી જરૂરત નહીં. મેરા સર્વસ્વ મેરી પાસ હૈ. (૪૬૮)
(૩ર) યહ ધ્રુવતત્ત્વ કિસીકો નમતા હી નહીં. ખુદકી સિદ્ધપર્યાયકો ભી નમતા નહીં.
(૩૩) સાગરો તક બારહુ અંગતા અભ્યાસ કરતે હૈ, લેકિન યહ પરલક્ષી જ્ઞાનમેં તો નુકસાન હી નુકસાન હૈ. જો ઉપયોગ બહારમેં જાવે તો દુઃખ હોવે હી. સ્વ ઉપયોગમેં હી સુખ હૈ.
(૩૪) ઇસકી તો જરૂરત હૈ ન! ઉસકી તો જરૂરત હૈ ન! (ઐસા ભાવ અજ્ઞાનીકો રહતા હૈ) અરે ભૈયા! પહલે, મેં અજરૂરિયાતવાલા હૈં ઉસકા તો નિર્ણય કરો.
(૩૫) મેરા સ્વભાવ જ્ઞાન, દર્શન આદિસે લબાલબ ભરા હુઆ હૈ, ઇસમેં નયા કુછ કરના નહીં હૈ-કુછ બઢાના ભી નહીં હૈ.
(૩૬) બારહ અંગકા સાર “નિષ્ક્રિય ચૈતન્ય યહી મેં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૩૭
હૂં” ઐસા નિર્ણય કરના હૈ. મેં તો નિષ્ક્રિય હૂં, કુછ કરના હી નહીં હૈ. મેં કુછ કર સકતા હી નહીં. મેરેમેં કુછ કરનેકી શક્તિ હી નહીં. મેં વર્તમાનમેં હી પરિપૂર્ણ હૂં. ( ઇસમેં ) કરના હી કયા હૈ! ઐસા યથાર્થ નિર્ણય હુઆ તો મુક્તિ હો ગઈ. (૫૫૪)
(૩૭)
નિષ્ક્રિયભાવ કહનેસે જીવકો પુરુષાર્થહીનતા લગતી હૈ. અરે ભાઈ! વો તો પુરુષાર્થકી ખાણ હૈ. ઔર જો મુક્તિ હોતી હૈ ઉસકી ભી ઉસકો દરકાર ( અપેક્ષા ) નહીં. (૫૬૦)
(૩૮)
નિત્ય વસ્તુકા હી ભરોસા ઠીક કરને યોગ્ય હૈ. (૫૬૪ )
( ૩૯ )
સિદ્ધ ભગવાન ખિસકતા હી નહીં. ઇસકા અર્થ હી ઐસા હૈ. કિ વો પરિપૂર્ણ વૃક્ષ વૃક્ષ હો ગયા હૈ. ઇસલિયે ખિસકતા હી નહીં.
(૪૦)
સારા તીનલોકકા સર્વ પદાર્થ જ્ઞાનમેં આ જાવે, તો ભી જ્ઞાન સબકો પી જાતા હૈ. ઔર કહતા હૈ કિ અબ કુછ બાકી હો તો આ જાઓ. (૫૭૭)
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
[ અધ્યાત્મ કણિકા (૪૧) (નિજ સુખકે લિયે) સારા જગતમેં બસ, મેં હી એક વસ્તુ હું. ઔર કોઈ વસ્તુ હૈ હી નહીં. અરે, દૂસરી કોઈ વસ્તુ હૈ યા નહીં હૈ, ઐસા વિકલ્પ ભી કયો? (પ૭૮)
(૪૨) સારા જગત જ્ઞાનકા શેય હૈ. અનુકૂલ-પ્રતિકૂલ કુછ નહીં. ઇસ અભિપ્રાયમ્ દષ્ટિ અભેદ હોની ચાહિયે. અભિપ્રાયમેં પરસે લાભ નુકસાનકી માન્યતા નહીં. અભિપ્રાયમેં ઇચ્છા વ દીનતા નહીં હોના ચાહિયે.
(૪૩) ક્ષણિકભાવ વ્યક્ત હૈ, ઉસકો ગૌણ કરના ઔર ત્રિકાલીભાવ અવ્યક્ત હૈ ઉસકો મુખ્ય કરના.
(૪૪) એક ઓર ત્રિકાલીકા પલ્લા, દૂસરી ઓર ક્ષણિકકા પલ્લા, જૈસે એક ઓર માલ, દૂસરી ઓર બારદાન. મહત્તા માલકી હૈ, બારદાનકી નહીં.
(૪૫) જ્ઞાનકી પર્યાય શેયકે સાથે સંબંધ રખતી હૈ. જ્ઞાયકના સંબંધ કિસીકે સાથ નહીં. (૬૧૯).
(૪૬) મેરી ભૂમિ વર્તમાનમેં હી ઇતની નિષ્કપ વ નકકર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૩૯ હૈ કિ જિસસે મેં વર્તમાનમેં હી નિર્ભય હું, નિરાલંબી હું, પરિપૂર્ણ , નિષ્ક્રિય હૂં, સુખરૂપ હૂં, કૃતકૃત્ય હૈં, ત્રિકાલ એકરૂપ હૂં, અચલ હૂં. (૬ર૭)
(૪૭) એક પલેમેં આત્મા ઔર એક પલ્લેમેં તીનકાલ, તીનલોક, આત્માકા પલ્લા બૈઠ જાતા હૈ દૂસરા પલ્લા ઉઘડ જાતા હૈ.
(૪૮) દ્રવ્યલિંગી મુનિને ઉલટા વીર્ય બહોત લગાયા હૈ જિતના જોરસે ઉલટા પડા હૈ ઇસસે અધિક વીર્ય સમ્યક હોનેમેં લગાના પડેગા. તભી સમ્યક હોગા.
(૪૯) નિશ્ચય ગ્રંથ આત્મા હૈ, નિશ્ચય ગુરુ આત્મા હૈ ઔર નિશ્ચય દેવ ભી આત્મા હૈ. મૂલ બાત ઇધરસે હૈ. બાદમેં બારકે નિમિત્તોં પર ઉપચાર કિયા જાતા હૈ. (૬૩૬)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
* પૂ. બેનશ્રીનાં વચનામૃત *
(૧) શુદ્ધનયની અનુભૂતિ અર્થાત્ શુદ્ધનયના વિષયભૂત અબદ્ધસ્પષ્ટ-આદિરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે બધું જાણી લીધું. “સર્વગુણાંશ તે સમ્યકત્વ' અનંત ગુણોનો અંશ પ્રગટયો. આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું. (200)
(૨) દઢ પ્રતીતિ કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, દ્રવ્યમાં ઊંડો ઊતરી જા. દ્રવ્યના પાતાળમાં જા. ત્યાંથી તને શાંતિ અને આનંદ મળશે. ખૂબ ધીરો થઈ દ્રવ્યનું તળિયું લે. (૨૦૨)
(૩) ચૈતન્યની અગાધતા, અપૂર્વતા અને અનંતતા બતાવનારાં ગુરુનાં વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ ૪૧ (૪) સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મુહૂર્ત નહિ પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. (૨૧)
(૫) પોતાનો અગાધ ગંભીર જ્ઞાયકસ્વભાવ પૂર્ણ રીતે જતાં આખો લોકાલોક ભૂત-ભવિષ્યની પર્યાય સહિત સમયમાત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાઓ. સ્વરૂપનિશ્ચળ જ રહેવું યોગ્ય છે. (રર૬)
(૬) આત્માના ગુણ ગાતાં ગાતાં ગુણી થઈ ગયોભગવાન થઈ ગયો; અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણરત્નોના ઓરડા બધા ખુલ્લા થઈ ગયા. (૨૩૧)
(૭) તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણબુદ્ધિથી ઓળખી લે. જે દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. (૨૩૮)
(૮) ઓહો ! આ તો ભગવાન આત્મા! સર્વાગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૨ ]
[ અધ્યાત્મ કણિકા ને આનંદ. જેમ સાકરમાં સર્વાગે ગળપણ તેમ આત્મામાં સર્વાગે આનંદ. (૨૪૧).
(૯). હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું –આમ જ્યાં અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. (૨૪૫).
(૧૦) આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંતકાળમાં ન થયું હોય એવું. ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. (૨૪૭)
(૧૧) વિશ્વનું અદ્દભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે, ત્યાં જ વિહાર કર. અનંત-કાળનો વિસામો ત્યાં જ છે. (૨૪૮).
(૧૨) દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. (૨૫૧)
(૧૩) દષ્ટિ પૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૪૩ તો સિદ્ધ ભગવાન જેવી દશા થઈ જશે. જો સ્વભાવમાં અધૂરાશ માનીશ તો પૂર્ણતાને કોઈ દિવસ પામી શકીશ નહિ. માટે તું અધૂરો નહિ, પૂર્ણ છો-એમ માન. (૨૬૧)
(૧૪) દ્રવ્ય સૂક્ષ્મ છે, માટે ઉપયોગને સૂક્ષ્મ કર, તો સૂક્ષ્મ દ્રવ્ય પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડી નિરાંતે આત્મામાં બેસવું, તે વિશ્રામ છે. (ર૬ર)
(૧૫) જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે, તોપણ પોતે ફરે નહિ. વિભાવના ગમે તેટલા ઉદય આવે તોપણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે. (૨૯૮)
(૧૬) જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. “હું જ્ઞાયક છું' એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. (૩)૧)
(૧૭) તું તને જો, જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ અને સૂક્ષ્મ ઉપયોગ કર. (૩૦૫)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ અધ્યાત્મ કણિકા (૧૮) રુચિનું પોષણ અને તત્ત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. જેને આત્મા પોષાય છે, તેને બીજું પોષાતું નથી. અને તેનાથી આત્મા ગુમઅપ્રાપ્ય રહેતો નથી. જાગતો જીવ ઊભો છે તે કયાં જાય ? જરૂર પ્રાપ્ત થાય જ. (૩૦૬ )
(૧૯)
નિજ ચેતનપદાર્થના આશ્રયે અનંત અદભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે? (૩૪૧).
(૨૦). જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે. (૩૮૦)
(૨૧) આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું બધુંય, આશ્ચર્યકારી એવું બધુંય, તારા નિજ અજાયબ ઘરમાં જ છે, બહારમાં કંઈ જ નથી. તું તેનું જ અવલોકન કર ને! તેની અંદર એકવાર ડોકિયું કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૪૫
નહિ બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું ૫૨થી વિરક્ત થઈશ. (૩૮૭)
(૨૨)
જ્ઞાનીની પરિણિત સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે આત્મામાં એકધારું પરિણમન વર્ત્યા જ કરે છે. (૩)
(૨૩)
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રુંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને કયાંય ફસાવા દેતો નથી પણ બધાયથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. (૪)
(૨૪)
સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય. ‘સ્વભાવ' શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઉતરી જાય, રુંવાટેરુંવાટા ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૬ ]
[અધ્યાત્મ કણિકા પડે, સુખ ન લાગે. લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. (૬)
(૨૫) જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે સચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. (૭)
(ર૬) ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય. અંદર આંતરડામાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંત:સ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. (૨૩)
(૨૭) આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર-મનન કરવા, એ જ આત્માર્થીનો ખોરાક છે. (૨૪)
(૨૮) ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.” (૨૮)
(૨૯) હું અબદ્ધ છું” “જ્ઞાયક છું” એ વિકલ્પો પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૪૭ દુ:ખરૂપ લાગે છે. શાંતિ મળતી નથી. વિકલ્પ માત્રમાં દુઃખ-દુ:ખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપડતાં, વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદના થાય છે. (૩૭)
(૩૦) આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડયે જ છૂટકો છે. સગુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાકયોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળમાર્ગને શોધી કાઢે છે. (૩૮)
(૩૧) જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે, મારે આ જ કરવું છે; તે વર્તમાન પાત્ર છે. (૪૬)
(૩ર) તું સની ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે, માટે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮] .
[ અધ્યાત્મ કણિકા સના ઊંડા સંસ્કાર રેડ. (૫૦).
(૩૩) જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે તેને ભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણ-સમ્યકસન્મુખતા થાય છે. અંદર દઢ સંસ્કાર પાડ, ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. (૬૨)
(૩૪) દ્રવ્ય તો નિવૃત્ત જ છે. તેને દઢપણે અવલંબીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાવ. મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને, ભેદજ્ઞાનની તીક્ષ્ણતાથી પ્રત્યાખ્યાન થાય છે. (૭૩)
(૩૫) હું તો ઉદાસીન જ્ઞાતા છું' એવી નિવૃત્તિદશામાં જ શાંતિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધકદશાની શરૂઆત થાય. (૮૪)
(૩૬) મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે. સ્વરૂપગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસવેદન જ મુનિનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
ભાવલિંગ છે. (૯૫)
[૪૯
(39)
‘હું અનાદિ-અનંત મુક્ત છું' એમ શુદ્ધ આત્મદ્રવ્ય ૫૨ દષ્ટિ દેતાં શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ‘દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે ’ એમ. દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ થતાં સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. (૧૦૦)
( ૩૮ )
આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે. જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી. એને કોઈ લઈ જઈ શકતું નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે; તેને છોડતાં તેને ડર કેમ લાગે છે ? (૧૦૨ )
( ૩૯ )
‘હું શુદ્ધ છું’ એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ જ થાય છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. (૧૦૪)
(૪૦)
આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વૈષ ૫રમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા ‘મુનિ છે' કે ‘કેવળજ્ઞાની છે' કે ‘સિદ્ધ છે' એવી એક પણ પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ અધ્યાત્મ કણિકા જ્ઞાયક જ છે. (૧૦૫)
(૪૧) પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં મેં જોયા નથી. દષ્ટિ બહાર ને બહાર જ છે. (૧૧૦)
(૪૨) પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તે પોતે જ પરમાત્મા છે. (૧૧૧)
(૪૩) સહજ તત્ત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તોપણ પરમ-પરિણામિકભાવ એવો ને એવો અખંડ રહ્યો છે; કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. (૧૧૨).
(૪૪) ગમે તેવા સંયોગમાં આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. (૧૧૬)
(૪૫) ગુરુની વાણીથી જેનું હૃદય ભૂદાઈ ગયું છે અને જેને આત્માની લગની લાગી છે, તેનું ચિત્ત બીજે કયાંય ચોંટતું નથી. તેને એક પરમાત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. (૧૧૯)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૫૧
(૪૬)
નિજ ચૈતન્યદેવ પોતે ચક્રવર્તી છે, એમાંથી અનંત રત્નોની પ્રાપ્તિ થશે. અનંત ગુણોની ઋદ્ધિ જે પ્રગટે તે પોતામાં છે. (૧૩૦)
(૪૭)
શુદ્ધોપયોગથી બહાર આવીશ નહિ; શુદ્ધોપયોગ તે જ સંસારથી ઊગરવાનો માર્ગ છે. શુદ્ધોપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો યથાર્થ રાખજે જ. જો પ્રતીતમાં ફેર પડયો તો સંસાર ઊભો છે. (૧૩૧)
(૪૮)
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંતવાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને સ્વમાં સર્વસ્વ માનવું છે. (૧૩૭)
(૪૯)
હું શુદ્ધાત્મા ! તું મુક્તસ્વરૂપ છો. તને ઓળખવાથી પાંચ પ્રકારનાં પરાવર્તનોથી છુટાય છે, માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. તારા પર એકધારી દૃષ્ટિ રાખવાથી, તારા શરણે આવવાથી, જન્મ-મરણ ટળે છે. ( ૧૬૬ )
(૫૦)
એક ચૈતન્યને જ ગ્રહણ કર. બધાય વિભાવોથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ અધ્યાત્મ કણિકા પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. (૧૭) -
(૫૧) પૂ. ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો છે, તે માર્ગે જો. (૧૯૪)
(પર) બધાએ એક જ કરવાનું છે-દરેક ક્ષણે આત્માને જ ઊર્ધ્વ રાખવો. આત્માની જ પ્રમુખતા રાખવી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો અભ્યાસ કરવો. (૧૯૫)
(૫૩) ચૈતન્યની અગાધતા, અપૂર્વતા ને અનંતતા બતાવનારાં, ગુરુનાં વચનો વડ શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
હે શુદ્ધાત્મદેવ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો! મારા ચૈતન્યદેવમાં તો પરમ વિશ્રાંતિ છે, બહાર નીકળતાં તો અશાંતિ જ લાગે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
અધ્યાત્મ કણિકા ]
[ ૫૩
હું નિર્વિકલ્પ તત્ત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્ત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. (૨૦૫ )
(૫૪ )
જ્ઞાતાનું ધ્યાન કરતાં કરતાં આત્મા જ્ઞાનમય થઈ ગયો, ધ્યાનમય થઈ ગયો, એકાગ્રતામય થઈ ગયો. અંદર ચૈતન્યના નંદનવનમાં એને બધું મળી ગયું. હવે બહાર શું લેવા જાય ? ગ્રહવાયોગ્ય આત્મા ગ્રહી લીધો, છોડવાયોગ્ય બધું છૂટી ગયું, હવે શું કરવા બહાર જાય ? (૨૩૨ )
(૫૫)
અંદરથી જ્ઞાન અને આનંદ અસાધારણપણે પૂર્ણ પ્રગટ થયાં, તેને હવે બહારથી શું લેવાનું બાકી રહ્યું? નિર્વિકલ્પ થયા તે થયા, બહાર આવતા જ નથી. (૨૩૩) (૫૬)
ઓહો! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંત ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો ! આ હું? આવા આત્માનાં દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. (૨૪૪)
(૫૭)
હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૫૪]
[ અધ્યાત્મ કણિકા પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું-આમ જ્યાં અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. (૨૪૫)
(૫૮) જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાંતિવાળું છે તે જ મારે જોઈએ છેએવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. (૨૭ર)
(૫૯) શુભાશુભ ભાવથી જુદો, હું જ્ઞાયક છું' તે દરેક પ્રસંગમાં યાદ રાખવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મુનષ્યજીવની સાર્થકતા છે. (૨૭૬ ).
(૬૦) બહારનાં બધાં કાર્યમાં સીમા-મર્યાદા હોય. અમર્યાદિત તો અંતર્નાન અને આનંદ છે. ત્યાં સીમામર્યાદા નથી. અંદરમાં-સ્વભાવમાં મર્યાદા હોય નહિ. જીવને અનાદિ કાળથી જે બાહ્ય વૃત્તિ છે, તેની જો મર્યાદા ન હોય તો તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મસ્વભાવ જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. ( ૨૮૧)
[૫૫
(૬૧)
આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે. અઘરું કામ તો છે, પણ જાતે જ કરવાનું છે. બહારની હૂંફ શા કામની ? હૂંફ તો પોતાના આત્મતત્ત્વની લેવાની છે. (૨૮૬)
(૬૨)
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાશ્વત પદાર્થ છે ને! ઉપલક વિચારોમાં નહિ પણ અંદ૨માં ઘોલન કરીને, તત્ત્વવિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે. ( ૨૮૯ )
(૬૩)
પરિભ્રમણ કરતાં અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે ‘આત્માનું કરવું છે' એવી ભાવના તો કરી પણ તત્ત્વચિ અને તત્ત્વમંથન કર્યું નહીં. પોસાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ( ૩૦૦ )
(૬૪)
ચૈતન્યલોક અદ્ભુત છે. તેમાં ઋદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહાર આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ].
[ અધ્યાત્મ કણિકા સમયમાં આ નિજ ઋદ્ધિને તથા બધાને જાણે છે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. (૩૧૦)
(૬૫) પોતાનો મહિમા જ પોતાને તારે. બહારનાં ભક્તિમહિમાથી નહિ પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે. અથવા ભગવાનનો મહિમા સમજવો તે નિજ ચૈતન્ય મહિમા સમજવામાં નિમિત્ત થાય છે. (૩૧૬)
(૬૬), જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો કણિયો હોય ત્યાં કણિયો તો વાનગીરૂપ છે; પર્વતનો પ્રકાશ અને તેની કિંમત ઘણી વધારે હોય, તેમ કેવળજ્ઞાનનો મહિમા શ્રુતજ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક સમયમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળજ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુતજ્ઞાનમાં-ભલે તે અંતર્મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુતકેવળીનું શ્રુતજ્ઞાન હોય તોપણ-ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ પ૭ ચમત્કારિક ઋદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ-એવા પૂર્ણ ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપથમિક જ્ઞાનમાં અનંતો ફેર છે. (૩ર૪)
(૬૭) જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે દૃષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક થયેલો દેખાય ત્યારે પણ તે તો (દષ્ટિ-અપેક્ષાએ) ઊંડી ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. (૩૫)
(૬૮) તળ સ્પર્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી ગયો. (૩ર૬)
(૬૯) કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થઈ જવું. મોક્ષ સિવાય તારે શું પ્રયોજન છે? પ્રથમ ભૂમિકામાં પણ માત્ર મોક્ષ-અભિલાષ” હોય છે.
જે મોક્ષનો અર્થી હોય, સંસારથી જેને થાક લાગ્યો હોય, તેના માટે ગુરુદેવની વાણીનો ધોધ વહી રહ્યો છે જેમાંથી માર્ગ સૂઝે છે. ખરું તો, અંદરથી થાક લાગે તો, જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂઝયા પછી અંદરમાં ને અંદરમાં પ્રયત્ન કરતાં આત્મા મળી જાય છે. (૩૫૧).
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
[ અધ્યાત્મ કણિકા (૭૦) તરવાનો ઉપાય બહારના ચમત્કારોમાં રહેલો નથી. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. ચૈતન્યચમત્કાર-સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. જે ઊંડે ઊંડ રાગના એક કણને પણ લાભરૂપ માને છે, તેને આત્માનાં દર્શન થતાં નથી. નિસ્પૃહ એવો થઈ જા કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્માની જ રઢ લાગે અને અંદરમાંથી ઉત્થાન થાય તો પરિણતિ પલટયા વિના રહે નહિ. (ઉપપ)
(૭૧) મુનિરાજનો નિવાસ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ઊંડ ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. બહાર આવતાં મડદા જેવી દશા હોય છે. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો છે. શાંતિનો સાગર પ્રગટયો છે. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઊછળે છે. જ્ઞાનમાં કુશળ છે, દર્શનમાં પ્રબળ છે, સમાધિના વેદનાર છે. અંતરમાં તૃત તૃત છે, મુનિરાજ જાણે વીતરાગતાની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. દેહમાં વીતરાગદશા છવાઈ ગઈ છે. જિન નહિ પણ જિન સરખા છે. (૩પ૬)
(૭૨) ગુરુદેવે શાસ્ત્રોનાં ગહન રહસ્યો ઊકેલીને સત્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #65
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ 59 અધ્યાત્મ કણિકા] શોધી કાઢ્યું ને આપણી પાસે સ્પષ્ટ રીતે મૂકયું છે. આપણે કયાંય સત્ય ગોતવા જવું પડ્યું નથી. ગુરુદેવનો પ્રતાપ કોઈ અદ્ભુત છે. “આત્મા’ શબ્દ બોલતાં શીખ્યાં હોઈએ તો તે પણ ગુરુદેવના પ્રતાપે “ચૈતન્ય છું', જ્ઞાયક છું” –ઇત્યાદિ ઇત્યાદિ બધું ગુરુદેવના પ્રતાપે જ જણાયું છે. ભેદજ્ઞાનની વાત સાંભળવી દુર્લભ હતી તેને બદલે તેઓશ્રીની સાતિશય વાણી દ્વારા તે વાતના હંમેશાં ધોધ વરસે છે. ગુરુદેવ જાણે કે હાથે ઝાલીને શીખવી રહ્યા છે. પોતે પુરુષાર્થ કરી શીખી લેવા જેવું છે. અવસર ચૂકવાયોગ્ય નથી. (364) cos Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk