________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૨ ]
[ અધ્યાત્મ કણિકા ને આનંદ. જેમ સાકરમાં સર્વાગે ગળપણ તેમ આત્મામાં સર્વાગે આનંદ. (૨૪૧).
(૯). હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું –આમ જ્યાં અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. (૨૪૫).
(૧૦) આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંતકાળમાં ન થયું હોય એવું. ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. (૨૪૭)
(૧૧) વિશ્વનું અદ્દભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે, ત્યાં જ વિહાર કર. અનંત-કાળનો વિસામો ત્યાં જ છે. (૨૪૮).
(૧૨) દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. (૨૫૧)
(૧૩) દષ્ટિ પૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk