________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ ૪૧ (૪) સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મુહૂર્ત નહિ પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. (૨૧)
(૫) પોતાનો અગાધ ગંભીર જ્ઞાયકસ્વભાવ પૂર્ણ રીતે જતાં આખો લોકાલોક ભૂત-ભવિષ્યની પર્યાય સહિત સમયમાત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાઓ. સ્વરૂપનિશ્ચળ જ રહેવું યોગ્ય છે. (રર૬)
(૬) આત્માના ગુણ ગાતાં ગાતાં ગુણી થઈ ગયોભગવાન થઈ ગયો; અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણરત્નોના ઓરડા બધા ખુલ્લા થઈ ગયા. (૨૩૧)
(૭) તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણબુદ્ધિથી ઓળખી લે. જે દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. (૨૩૮)
(૮) ઓહો ! આ તો ભગવાન આત્મા! સર્વાગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk