________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૪૩ તો સિદ્ધ ભગવાન જેવી દશા થઈ જશે. જો સ્વભાવમાં અધૂરાશ માનીશ તો પૂર્ણતાને કોઈ દિવસ પામી શકીશ નહિ. માટે તું અધૂરો નહિ, પૂર્ણ છો-એમ માન. (૨૬૧)
(૧૪) દ્રવ્ય સૂક્ષ્મ છે, માટે ઉપયોગને સૂક્ષ્મ કર, તો સૂક્ષ્મ દ્રવ્ય પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડી નિરાંતે આત્મામાં બેસવું, તે વિશ્રામ છે. (ર૬ર)
(૧૫) જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે, તોપણ પોતે ફરે નહિ. વિભાવના ગમે તેટલા ઉદય આવે તોપણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે. (૨૯૮)
(૧૬) જીવ રાગ અને જ્ઞાનની એકતામાં ગૂંચવાઈ ગયો છે. નિજ અસ્તિત્વને પકડે તો ગૂંચવણ નીકળી જાય. “હું જ્ઞાયક છું' એવું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ. (૩)૧)
(૧૭) તું તને જો, જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ અને સૂક્ષ્મ ઉપયોગ કર. (૩૦૫)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk