________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
[ અધ્યાત્મ કણિકા (૭૦) તરવાનો ઉપાય બહારના ચમત્કારોમાં રહેલો નથી. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. ચૈતન્યચમત્કાર-સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. જે ઊંડે ઊંડ રાગના એક કણને પણ લાભરૂપ માને છે, તેને આત્માનાં દર્શન થતાં નથી. નિસ્પૃહ એવો થઈ જા કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્માની જ રઢ લાગે અને અંદરમાંથી ઉત્થાન થાય તો પરિણતિ પલટયા વિના રહે નહિ. (ઉપપ)
(૭૧) મુનિરાજનો નિવાસ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ઊંડ ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. બહાર આવતાં મડદા જેવી દશા હોય છે. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો છે. શાંતિનો સાગર પ્રગટયો છે. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઊછળે છે. જ્ઞાનમાં કુશળ છે, દર્શનમાં પ્રબળ છે, સમાધિના વેદનાર છે. અંતરમાં તૃત તૃત છે, મુનિરાજ જાણે વીતરાગતાની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. દેહમાં વીતરાગદશા છવાઈ ગઈ છે. જિન નહિ પણ જિન સરખા છે. (૩પ૬)
(૭૨) ગુરુદેવે શાસ્ત્રોનાં ગહન રહસ્યો ઊકેલીને સત્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk