________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૬]
[ અધ્યાત્મ કણિકા
( ૩૧ )
યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે.
( ૩૨ )
હૈ મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત, અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે.
(૩૩)
દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યવીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.
(૩૪)
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હું નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?
( ૩૫ )
સર્વ દુ:ખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk