________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૨૫ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.
(ર૬ ) અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે તે તાદાભ્ય નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે.
(ર૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહિ પણ તેથી અનંતગણી ચિંતા આત્માની રાખ; કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
(૨૮). “આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો” આ એક જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે.
(૨૯) વહેવારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે.
(૩૦) સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk