________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ ર૭ (૩૬) અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જાદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
(૩૭) વિચારદશા વિના જ્ઞાનદશા હોય નહિ.
(૩૮) અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે.
(૩૯) કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.
(૪૦) દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે - “જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું કયાં રહે છે?'
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk