________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૧૭
(૮૧)
ધર્મીએ આમ મંથન કરીને ભગવાનને મેળવવો કે જેનો નિર્વિભાવ મહિમા છે-કે જેમાં કારકભેદ, ધર્મના ભેદ કે ગુણભેદો છે નહિ.
(૮૨ )
એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું, એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી અલ્પરાગ રહે, તે પરના પડખે જાય છે.
(૮૩)
અહો! મહાન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવનાં અમૃત વહેતાં મૂકયાં છે. આચાર્યદેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષહોને જીતીને પરમ સને જીવંત રાખ્યું છે. આચાર્યદેવના કથનમાં કેવળજ્ઞાનના ભણકાર વાગી રહ્યા છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે! આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર અપૂર્વ ચીજ છે. અને આ સમજણ તો મુક્તિને વ૨વાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk