________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૮]
[ અધ્યાત્મ કણિકા
( ૩૬ )
પરિપૂર્ણ દ્રવ્યને લક્ષગત કરવામાં જે ભેદરૂપ જ્ઞાનનો પર્યાય, જે દ્રવ્યશ્રુત તરીકે છે તે સર્વશ્રુતપણાને પામે છે કેમ કે સર્વ સ્વભાવનો આર એવું જે અભેદ દ્રવ્ય તેને પકડવામાં તે નિમિત્ત થાય છે.
(૩૭)
આત્મામાં એક સુખશક્તિ નામનો ગુણ કે જેની અંતરશક્તિની મર્યાદા અનંત છે તેવા ગુણની બુદ્ધિ વડે આત્મરૂપ દ્રવ્યનો આદર કરતો પાંચ ઇન્દ્રિયોના-ઇન્દ્રો આદિના વિષયોને પણ હેય જાણી છોડે છે.
( ૩૮ )
પાંચ બોલે પૂરો પ્રભુ. ૫૨મ પારિણામિક ભાવ છું.
કારણપરમાત્મા છું.
કારણ જીવ છું.
શુદ્ધોપયોગોહં
નિર્વિકલ્પોહં
( ૩૯ )
આત્માનુભવ થતાં જે મતિશ્રુતજ્ઞાન પ્રગટયું તેનું અચિંત્ય સામર્થ્ય છે. દ્રવ્યને પૂરું જાણે ને લોકાલોકને પણ જાણે, આવડું જ એનું સામર્થ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk