________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૯
(૪૦)
એના જ્ઞાનમાં સંઘરે તો ખરો કે આ ત્રિકાળી વસ્તુના આશ્રય વિના ત્રણકાળમાં કલ્યાણ થવાનું નથી. અને એના વિના જે કાંઈ થાય છે, તે એકાંતે નુકસાન જ છે.
(૪૧)
વર્તમાન ઉદયમાં જીવ એટલો બધો રચ્યોપચ્યો રહે છે કે ભાવિના સાદિ અનંતકાળમાં મારું શું થશે? એ વિચાર પર એનું વજન નથી આવતું.
(૪૨)
વસ્તુની દૃષ્ટિ હશે તો મહા આનંદમાં મ્હાલશે, નહિ તો ચાર ગતિના ભયંકર દુઃખમાં પીલાશે.
(૪૩)
વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નય છે, બાકી મોક્ષમાર્ગ તો એકને મુખ્ય કરતાં જ થાય છે. વહેવારનયની ઉપેક્ષા તે જ તેનું સાપેક્ષપણું છે.
(૪૪)
66
તીર્થંકરદેવની વાણીમાં પરિપૂર્ણતાના ભણકાર કેમ આવે છે? તીર્થંકરદેવ પોતે, છદ્મસ્થ દશામાં હતા ત્યારે પૂર્ણ થાઉં, પૂર્ણ થાઉં” એવા વારંવાર વિકલ્પ આવતા હતા. તે વિકલ્પના ફળમાં જે પુણ્ય બંધાયું,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk