________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૦]
[ અધ્યાત્મ કણિકા તે પુણ્યના ફળરૂપે જે વાણી આવે છે, તેમાં પૂર્ણતાના જ રણકાર આવે છે.
(૪૫) એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી. આમ સમ્યકત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે, એમ સમજીને હે જીવ! એની આરાધનામાં તત્પર થા.
(૪૬) હજારો વર્ષના શાસ્ત્ર ભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.
(૪૭) મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિર્વિકલ્પ સ્વાનુભવ વડે થાય છે.
(૪૮) સંસારમાં ગમે તેવા કલેશના કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે પણ જ્ઞાનીને જ્યાં ચૈતન્યની સ્કૂરણા થઈ ત્યાં તે બધાય કલેશ કયાંય ભાગી જાય છે.
(૪૯) ચૈતન્યના અનુભવની ખુમારી ધર્મીના ચિત્તને બીજે કયાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk