________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[ ૪૭ દુ:ખરૂપ લાગે છે. શાંતિ મળતી નથી. વિકલ્પ માત્રમાં દુઃખ-દુ:ખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપડતાં, વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદના થાય છે. (૩૭)
(૩૦) આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડયે જ છૂટકો છે. સગુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાકયોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળમાર્ગને શોધી કાઢે છે. (૩૮)
(૩૧) જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે, મારે આ જ કરવું છે; તે વર્તમાન પાત્ર છે. (૪૬)
(૩ર) તું સની ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે, માટે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk