________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ].
[ અધ્યાત્મ કણિકા સમયમાં આ નિજ ઋદ્ધિને તથા બધાને જાણે છે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડ્યા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. (૩૧૦)
(૬૫) પોતાનો મહિમા જ પોતાને તારે. બહારનાં ભક્તિમહિમાથી નહિ પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે. અથવા ભગવાનનો મહિમા સમજવો તે નિજ ચૈતન્ય મહિમા સમજવામાં નિમિત્ત થાય છે. (૩૧૬)
(૬૬), જેમ એક રત્નનો પર્વત હોય અને એક રત્નનો કણિયો હોય ત્યાં કણિયો તો વાનગીરૂપ છે; પર્વતનો પ્રકાશ અને તેની કિંમત ઘણી વધારે હોય, તેમ કેવળજ્ઞાનનો મહિમા શ્રુતજ્ઞાન કરતાં ઘણો વધારે છે. એક સમયમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળજ્ઞાનમાં અને અલ્પ સામર્થ્યવાળા શ્રુતજ્ઞાનમાં-ભલે તે અંતર્મુહૂર્તમાં બધુંય શ્રુત ફેરવી જનાર શ્રુતકેવળીનું શ્રુતજ્ઞાન હોય તોપણ-ઘણો મોટો તફાવત છે. જ્યાં જ્ઞાન અનંત કિરણોથી પ્રકાશી નીકળ્યું, જ્યાં ચૈતન્યની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk