________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા] તેને જ્ઞાનમાત્ર કહ્યું છે. જ્ઞાનમાત્ર કહેતાં રાગમાત્રનો અભાવ બતાવે છે, પણ તેમાં દર્શન, શાંતિ, આનંદ આદિનો અવિનાભાવ છે તેથી તે જ્ઞાનમાત્ર પર્યાય જ મુક્તિનું કારણ છે.
(૨૪). ચિંતામણિ રત્ન નિજ પરમ પાવન પરમાત્માનું નિજ પરમ સ્વરૂપ તેના પ્રવાહની પરમ પ્રતીતિ અને તેમાં સ્થિરતા એ અમૂલ્ય ચિંતામણિ રત્ન છે કે જેનું મૂલ્યાંકન હોઈ શકે નહિ.
(૨૫) શાંતિનો, સુખનો અને પરમાત્મા થવાનો ઉપાય અનંતગુણસ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ, સુખનો ઉપાય છે.
(ર૬). જેને પરથી છૂટવું હોય એટલે કે સ્વતંત્રતા મેળવવી હોય અને સ્વની સંપદામાં એકતા કરવી હોય, એણે પ્રથમથી જ સંજોગો અને વિકારોથી રહિત દષ્ટિ કરી, સ્વાભાવિક અને પરિપૂર્ણ એવા નિર્વિકાર સ્વભાવમાં સ્થિરતા કરવી, એ પરથી પૂર્ણપણે છૂટવાનો એકમાત્ર ઉપાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk