Book Title: Vitrag Darshan Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 6
________________ માર્ગે આવી જવી ને સુખી થાવ. કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ. સર્વ જીવો આત્મામાં મગ્ન થાવ. જુઓ જ્ઞાનીની ભાવના ! પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે એટલે સર્વ જીવો પણ પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થઈ સુખાનુભવ કરો એમ કહે છે. ૨. આ વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થતા, જૈન દર્શનના સિદ્ધાંતોને સત્યને પ્રકાશમાં મૂકતાં અસત્યના આગ્રહવાળાને દુ:ખ થાય, પણ ભાઈ ! શું કરીએ ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરૂદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો મને માફ કરજે, ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તો કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાના દુ:ખ ચાર ગતિના બહુ આકરા છે, એ દુ:ખની અનુમોદના કેમ થાય? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે અને તેનો આશ્રય કરી, શ્રદ્ધા કરીને પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ ! કોઈ જીવ દુ:ખી ન થાઓ! ૩. તારી પર્યાયમાં સિદ્ધોને સ્થાપ્યા છે તેથી તું અલ્પજ્ઞપણે ને રાગપણે હવે રહી શકશે નહિ, હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ ને સર્વજ્ઞ થઈશએમ હે શ્રોતા! તું નિ:સંદેહ જાણ. તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એમ નિર્ણય કર! ૩. તું પરમાત્મા છે! ૧. જેણે સર્વજ્ઞને પોતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું જ નહિ. જેમ સર્વજ્ઞ જાણનાર તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે 'તે પણ જે થાય તેની માત્ર જાણનારાજ છે. ફેરફાર કરવાની વાત જ નથી. દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ એ “શ સ્વભાવમાં વિશેષ કરતાં કરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. બીજું કાંઈ કરવાનું રહ્યું જ નહિ. ૨. સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર-દેખનાર જ છો. અધૂરા-પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર-દેખનારથી જરાક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો, એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યા દષ્ટિ છે તે યથાર્થ વાત છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 228