Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 460
________________ કેતુમતી સંભક [ ૪૦૫ ] મારા પક્ષમાં ઊભા રહ્યા કે, “શા માટે બાંધો છે?” માનસવેગ બે, “ મારી બેનને આ પિતાની મેળે પાડ્યો છે.” પેલે (વસુદેવ) બેલ્યો, “મારી ભાર્યાને તું હરી ગયો છે.” માનસવેગે કહ્યું, “એ તે મને પૂર્વે અપાઈ ચુકેલી હતી, માટે આ બાબતને ન્યાય કર જઈએ.” પછી વ્યવહારના સંબંધથી-ન્યાય કરવા માટે બલસિંહની વૈજયન્તી પુરીમાં તેની સાથે તથા અંગારક, હેફગ અને નીલકંઠની સાથે હું યુદ્ધ કરવા લાગ્યો. પ્રભાવતીએ આપેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે એ ચારે જણાને મેં પરિવાર સહિત જીતી લીધા. માનસ વેગ જ્યારે સામગ્રીને શરણે ગયો ત્યારે તેને છોડવામાં આવ્યું. તેની માતાએ મારી પાસે પુત્રભિક્ષાની યાચના કરી–પોતાના પુત્રને જીવિતદાન આપવા વિનંતી કરી. સામગ્રીની પ્રતિજ્ઞા પૂરી કરવા તેને ઘાયલ કરીને પછી છોડી દીધું. આ પ્રમાણે પરાજિત થયેલ તે કિંકરની જેમ મારી સેવા કરવા લાગ્યા. સમશ્રીએ મને કહ્યું, “આપણે મહાપુર જઈએ. ” પછી માનસવેગે વિકલા વિમાન વડે અમે મહાપુર ગયાં. પછી માનસવેગને વિદાય કર્યો. શંખરથનો દૂત અશ્વો લઈને સોમદેવની પાસે આવ્યો. સોમદેવે તેને પૂછયું, “શંખરથ દેવપુત્ર કેવી રીતે છે ? ” એટલે તે કહેવા લાગે મિથિલામાં સુમેરુ રાજા હતા. ધારિણી દેવીથી થયેલા તેના ત્રણ પુત્ર નમિ, વિનમિ અને સુમિ નામના હતા. તેમાંના બેની સાથે રાજાએ દીક્ષા લીધી. બને જણા નિર્વાણ પામ્યા. અષ્ટાંગ મહાનિમિત્ત જાણીને શિથિલાચારી બનીને વિચરતો નમિ કુંભારની શાલામાં નિન્ય ભાષણ કરીને પુરુષપુર ગયે. ત્યાં અલંબુષા કન્યાને તેણે જોઈ. ભેજન કરીને ગુફામાં રહેલા અને લક્ષણોથી સૂચિત થયેલા (સારા લક્ષણવાળા) તેને અમાત્યે કહ્યું, “ રાજ્ય અને કન્યા ગ્રહણ કરો.” પછી સર્વ અલંકારથી વિભૂષિત થયેલે તે (નગરનો) રાજા લોકોના વિસ્મય નિમિત્તે તેની સામે ગયે. કૃત્રિમ મંજૂષામાં મૂકીને તેનેનમિતે લાવવામાં આવ્યું. અલબુષાને શંખરથ પુત્ર થયે. આ કારણથી તે દેવપુત્ર કહેવાય છે. ૫ ]. એક વાર હું ઘેડેસવારી કરતો હતો ત્યારે હેફગ મને હરી ગયે. દૂર ગયા પછી મેં એની પીઠ ઉપર ઘા કર્યો. તેણે મને છોડી દીધે, એટલે નીચે મોટા ધરામાં હું પડ્યો. પછી ધરામાંથી હું બહાર નીકળ્યો અને સપાટ પ્રદેશ ઉપર પહોંચ્યો. મેં વિચાર્યું, “આ કર્યો પ્રદેશ હશે ? ” એટલામાં જેના ઉપર ચઢવાને કોઈ પ્રકારનો આધાર નથી એવા ૩ માનસવેગ સોમશ્રીને બહુ સતાવે છે ત્યારે સામગ્રી તેના રુધિરમાં સ્નાન કરવાની પ્રતિજ્ઞા કરે છે. મધ્યમ ખડમાં આવતા આ પ્રસંગને નિદેશ અહીં જણાય છે. પ્રથમ ખંડનાં આ વસ્તુને નિર્દેશ જોવામાં આવતો નથી. ૪, વત્તવયં માસળ ને બદલે જન્વયં માસિકળ પાઠ લેવામાં આવે તો તે વ્રત છોડેલાં છે એમ કહીને એ અર્થ થાય. ૫, આ કથનની કઈ સંબદ્ધતા સમજાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544