Book Title: Sutrakritang Skandh 02
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 144
________________ ૭૯૪. ઠંડું પાણી અને બીજકાયાનું સેવન તથા આધા કર્મો અને સ્ત્રીસંગ સેવન કરવાવાળા, ગૃહસ્થ હોય, નહિ કે શ્રમણ, તેથી શ્રમણો ગૃહસ્થ થાય. ૭૯૫. આર્તક કહે છે - જો સજીવ બી અને ઠંડું પાણી તથા સ્ત્રી સંગનું જે સેવન કરે છે વળી આધા કર્મો પણ કરે છે, તેવા ગૃહસ્થો પણ શ્રમણ થાય, શ્રમણ કહેવાય. ૭૯૬. જે ભિક્ષુઓ બીજ અને ઠંડું પાણી સેવે છે અને તેમ ભિક્ષા ઉપર જીવનવૃત્તિ કરે છે, તેવા, ભલે તેમને જ્ઞાતિજનોનો સંગ છોયો હોય તો પણ તે પોતાના જ કર્મો વડે આ સંસારમાં અનંત ભ્રમણ કરશે. ૭૯૭. ગોશાલક કહે છે : આમ જે તું કહે છે, તેથી બધા જ પ્રાવાદિકોની નિંદા કરે છે. પ્રાવાદિક જાદાજાદા પ્રવચન કરે છે અને પોતપોતાની દૃષ્ટિ લોકો આગળ રજા કરે છે. ૭૯૮. તે શ્રમણ માહણો ભલે એકબીજાની નિંદા કરે આત્મા છે તો શરીર છે, આત્મા નથી તો શરીર નથી, આમ અમે દૃષ્ટિની ગણા કરીએ છીએ, બીજાં કશું પણ નહીં. ૭૯૯. આદ્રક કહે છે - અમે રૂપથી કશું પણ ધારતાં નથી, અમે સારો દૃષ્ટિમાર્ગ પ્રકાશિત કરીએ છીએ. આર્યોએ આ માર્ગ કહ્યો છે. તે આ સત્પરૂષોનો માર્ગ બહુ સારો છે. ૮૦૦. ઉપર, નીચે અને તિર્ય દિશાઓમાં જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવો છે, તેમનાં દુઃખ વિષે જરા પણ શંકાથી, તેમને દુર્ગછા થાય છે. તે કોઈની ગીંણા ન જ કરે. ૮૦૧. ગોશાલક કહે છે - તે અતિથી ઘરે કે આરામ ઘરે, ત્યાં શ્રમણોના ડરથી નથી આવતો, ત્યાં ઘણા માણસો હોશિયાર હોય છે, તેમની સાથે વાતચીત કરવાનું તે ટાળે છે. 133

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184