Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેનો પણ આધાર લીધો છે. છતાં, જેવું શાસ્ત્રોમાં છે તેવું જ અહીં નથી લખી નાખ્યું. એ કથનો ઉપર વર્ષોથી ચિંતન-મનન અને અવગાહન કરેલું છે. અનુપ્રેક્ષા કરેલી છે... અને એ બધું આત્મસાત્ કરી આ લખવાનો પ્રયત્ન કર્યો છે. સુલસા અને ભગવાન મહાવીરના દિવ્ય... દિવ્યાતિદિવ્ય પ્રેમની અભિવ્યક્તિ કરવા પાછળ એક આશય એ પણ છે કે “આવો પ્રેમ પ્રત્યેક મનુષ્ય કરી શકે છે! જો એને પ્રભુ ગમતા હોય ને પ્રભુને પામવા હોય!' પ્રેમમાં તર્કને-બુદ્ધિને ઝાઝું સ્થાન નથી હોતું. તર્ક તો પ્રેમમાં બાધક હોય છે. પ્રેમ તર્કથી ઘણી ઉપરની વાત છે. એ અનુભવનું તત્ત્વ છે. તર્કના ગજથી પ્રેમના પવિત્ર વસ્ત્રને માપવાનો બાલિશ પ્રયત્ન કરાય જ નહીં. આ લખતાં લખતાં. મેં મારા ભાવલોકમાં પ્રભુ મહાવીરનું તાદાભ્ય અનુભવ્યું છે. મારી રોમરાજી વિકસ્વર થઈ છે. સુલતાને નિકટથી જોયાં છે... એમના અંતરતમના ભાવો મને સ્પર્યા છે... એમને ભગવાનમાં તન્મય થતાં, ભગવાનમાં મનભાવન ગીત ગાતાં... ભગવાનના સમવસરણમાં સંભ્રમપૂર્વક દોડી જતાં... પ્રભુને અનિમેષ નયને નિહાળ્યા કરતાં... પ્રભુની દિવ્ય વાણી સાંભળીને ગદ્ગદ્ થતાં.. પ્રભુના ગુણો-પ્રભાવોને ગાતાં. આ બધાં સ્વરૂપે મેં જોયાં છે! સુલસાના આ પ્રભુપ્રેમનો રણકાર એટલો બુલંદ, શુદ્ધ, સૂરીલો અને મનભાવન, પ્રાણપ્રિય તથા હૃદયસ્પર્શી છે કે તે આપણા શ્રદ્ધાદીપને પ્રજ્વલિત કરી આપણને પ્રભુપરાયણ રાખી શકે છે. બત્રીસ પુત્રોના એકસાથે થયેલા અવસાનથી ઘોર આક્રંદ કરતાં પણ જોયાં છે. એમના દ્વારે મગધસમ્રાટ શ્રેણિકને ને બુદ્ધિાનિધાન અભયકુમારને આવેલા જોયા છે! રાજપરિવાર સાથેના એમના સંબંધોને પણ આ પુસ્તકમાં આલેખ્યા છે. રાજપરિવારની સુલસા પ્રત્યેની આદરભાવના અને પૂજ્યતાની લાગણી પણ વર્ણવી છે. ભગવાન મહાવીરે રાજગૃહીમાં જ સૌથી વધારે ચાતુર્માસ વિતાવ્યા હતા. અને સુલસા રાજગૃહીમાં રહેતાં હતાં. ચાતુર્માસ સિવાયના કાળમાં પણ પ્રભુ અનેકવાર રાજગૃહીના “ગુણશીલ ચૈત્યમાં પધારતા હતા, તેથી સુલતાનો પ્રેમ નિરંતર વર્ધમાન બન્યો હતો. નવા વાચકો કદાચ દેવોના આગમનની વાતને અતિશયોક્તિ માને, પરંતુ તે અતિશયોક્તિ નથી, યથાર્થતા છે. એ કાળે, તીર્થકર ભગવાન મહાવીરના વિશિષ્ટ પ્રભાવથી આકર્ષાઈને એક કરોડ દેવો પ્રભુની આસપાસ-અવકાશમાં રહેતા હતા. ત્યારની પ્રજા દેવ-દેવીનાં દર્શન કરી શકતી હતી. આ વાતને શ્રદ્ધાથી સ્વીકારવી જ રહી. લગભગ ૨૫૦ પાનામાં પથરાયેલી આ વાર્તા લખાઈ છે મારી માંદગીના બિછાનેથી! એનો યશ મારે મારા બે અંતેવાસીઓને આપવો છે. મુનિ પદ્મરત્ન અને મુનિ ભદ્રબાહુ! મુનિ પવારન મારી બાહ્ય સેવા ખડેપગે કરી રહ્યા છે, જ્યારે ભદ્રબાહુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 267