________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષો જ મોક્ષમાર્ગ પામી શકે છે.
સમ્યક્ત ધર્મ-કલ્પવૃક્ષનું મૂળ છે. મોક્ષનગરનું દ્વાર છે. સંસાર-સાગરમાં વહાણ છે. સર્વે ગુણોનો ભંડાર છે. સર્વ સંપત્તિઓનો આકર છે અને તીર્થકર નામકર્મનું સર્વોત્તમ કારણ સમ્યત્ત્વ જ છે. માટે જે મહાનુભાવો સમ્યક્તને ગ્રહણ કરી, પાલન કરે છે તે ખરેખર આ દુનિયામાં ધન્ય છે! ધર્મનો પાયો છે સત્ત્વ, ધર્મનું મૂળ છે સમકિત. માટે સમ્યક્ત ધર્મની જ આરાધના કરવા ઉજમાળ બનો.
હજારો જીવોએ પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. સહુને સાકર અને શેરડીથી પણ વધુ મીઠો લાગ્યો. ઘણા મનુષ્યોએ પોતપોતાના હૃદયમાં સમ્પર્વને સ્થાપિત કર્યું. તેમાં મુખ્ય હતા મહારાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમાર અને નાગ સારથિની પત્ની સુલસા.
સુલસા સમવસરણમાં ઊભી ઊભી પ્રભુનાં એક-એક અંગ-ઉપાંગના સૌન્દર્ય નું રસપાન કરી રહી હતી. સાથે સાથે ભગવાનના એક એક અમૃત વચનને તે શરબતની જેમ પી રહી હતી.
એ વિચારવા લાગી : લોકો મને કહે છે “સુલસા અતીવ સુંદર છે! અદ્ભુત છે! નીલકમલની પાંખડીઓ જેવી મારી કાન્તિ છે! સાગરની લહેરો જેવા ગાઢા વાળ અને નીલ પક્ષી જેવી ઉજ્વલ ચમકતી મનમોહક આંખો છે! વિશ્વના શ્રેષ્ઠ શિલ્પકારના હાથે ઘડાયેલી પ્રતિમા જેવી મારી સુંદર મુખશોભા છે! યોગ્ય અંગસૌષ્ઠવ, દીર્ધ દેહ, ઉન્નત સ્પષ્ટ વક્ષ, પાતળી કટિ, રંભાતરુ જેવા સુગોળ ઘન ઉરુ, ચંપાકણી જેવી હાથ-પગની આંગળીઓ, લાલ શતદલપદ્મ જેવી હથેળી, પગનાં તળિયાં, મુક્તાવલી જેવી દંતપંક્તિ, વિદ્યતને પણ શરમાવે તેવી હાસરેખા, ચન્દ્ર જેવા નખ, શરીરની કમળ જેવી ભીની ભીની મહેકથી ભ્રમરને પણ મતિભ્રમ થઈ જાય, મારા વાળને વાંકડિયા સૌન્દર્યમાં પવન પણ બંધાઈને સ્થિર થઈ જાય...”
પણ આજે મારા વીર પ્રભુનું અદ્વિતીય રૂપ સૌન્દર્ય જોયા પછી મારું રૂપ સૌન્દર્ય મને તુચ્છ લાગ્યું છે! મારા રૂપનું વર્ણન હું નથી કરતી, પણ પતિદેવની પાસે આવતા કવિઓ કહેતા : નાગ! એના રૂપનું વર્ણન ગમે તેટલું કરો, ઘણું બધું બાકી રહી જાય છે. જીવનભર કાવ્ય લખવા છતાંય આ અનુપમ સૌન્દર્યને યોગ્ય ઉપમા નહીં મળે! તુલસા પોતે જ પોતાની ઉપમા છે!' પરંતુ આજે પ્રભુના દર્શને મારું રૂપ, મારું લાવણ્ય, બધું જ
સુલતા
For Private And Personal Use Only