Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 116
________________ ઘe તરંગ. وه સાંભળી રાણીએ પણ પર્વના દિવસના વ્યસનના નાશની કાંતિને માટે (નિમૂળ નાશ કરવા માટે) તે રાજાનું વચન સહન કર્યું (અંગીકાર કર્યું.) હવે રાણીની સંમતિ થવાથી રાજાએ જે કર્યું તે કહેવાય છે—પાટના નાયકરૂપ સંગઠીઓને ભેટે હાર જાણે કે દુર્ગતિરૂપ સ્ત્રીએ આ હોય તેમ તે શેઠના કંઠમાં સ્થાપન કરા બે-પહેરાવ્યું. બીજે જે ધૂર્ત હતો તેને ખરાબ વેષ પહેરાવીને ગધેડા ઉપર ચડાવે, તે જાણે સાતમી નરક તરફ પ્રયાણ કરવાને તૈયાર થયો હોય તેમ શોભતે હતે. શ્રેષ્ઠીને પગે ચલાવ્યું અને તે ધૂર્તને ગધેડા પર બેસાડ્યો, તેમની આગળ ત્રાડુકા નાંખતા બિલાડા ચલાવ્યા ( અથવા કાહલ નામના વિરસ વાજિત્રના શબદ કરાવ્યા). આ રીતે લાખ લેકે જોઈ શકે તેમ નગરના દરેક માર્ગમાં રાજાએ તે બનેને ફેરવ્યા. પછી શ્રેષ્ઠીની કુલ જેટલી સમૃદ્ધિ હતી તેમાંથી અર્ધી સમૃદ્ધિ તેના દંડ તરીકે લીધી, અને તે ધૂર્તનું નાક કાપી તેને દેશનિકાલ કર્યો. “પુરૂષની ફજેતી કરનાર ધૂતને ધિક્કાર છે ” કહ્યું છે કે" जूएण जुव्वणेण य, दासीसंगेण धुत्तमित्तेण । उन्भेउ अंगुलिं सो, अवसाणे जो न हु विगुत्तो ॥५॥" “જે માણસ છૂત રમવાથી, યૌવનને મદ કરવાથી, દાસીને સંગ કરવાથી, કે ધૂર્તની મિત્રાઈ કરવાથી પરિણામે વગેવાણે ન હોયફજેત થયો ન હોય (એ કોઈ પણ પુરૂષ હોય તે) તે પિતાની આંગળી ઉંચી કરે (જાહેર થાઓ. અર્થાત એવો કોઈ દુનિયામાં હેય જ નહીં.” પછી તે ધૂર્ત પાસેથી મળેલું તે કુંડળ રાજાએ રાણીને આપ્યું. રાણીએ તેના જેવું બીજું કરાવી તે બન્ને પ્રથમિણીને આપ્યાં, અને તેણીએ જિનેશ્વરની પ્રતિમાને પહેરાવ્યાં. સુવર્ણથી મઢેલો પથ્થર પણ સ્ત્રીઓને વહાલો હોય છે, તે વાત સત્ય છે, પરંતુ સુવર્ણ વિના જ અલંકારરૂપ ગુણેને વિષે જ આદર કરે ઉચિત છે. ત્યારપછી “પર્વને વિષે કઈ મનુષ્ય ગુપ્તપણે વ્યસનની સેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160