Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 156
________________ અષ્ટમ તરંગ. ૧૩૭ આબે, કારણ કે જે કાર્ય પિતાથી થાય તે બીજાથી થઈ શકતું નથી. રાજાએ પણ આવીને તે જ પ્રમાણે મંત્રીને કહ્યું, ત્યારે ઝાંઝણ હસીને બોલ્યા કે—“હે દવામી ! જે આપના મનમાં દુઃખ ન થાય. તે મારી એક વિજ્ઞપ્તિ છે.” ત્યારે રાજાએ બોલવાની અનુમતિ આપી એટલે તે બોલ્યો કે- “હે સ્વામી! ખર્ચ કરવામાં રણસંગ્રામથી પણ અધિક ભય હોય છે, કારણ કે તે ખર્ચમાં આપની જેવા પણ ભય પામે છે, કારણ કે તે ખર્ચમાં આપની જેવા પણ ભય પામે છે. કદાચ સમુદ્ર ક્ષીણ થાય, પણ અમે ક્ષીણ થઈએ તેમ નથી. અથવા તે નવ નિધાનને રવામી ચક્રવર્તી પણ અધિક ખર્ચ કરી શકતા નથી ( તેથી જણાય છે કે રાજાઓની એવી રીતિજ હોય છે.) તેથી કરીને હે દેવ! જે સર્વ સંઘને ભોજન કરાવવું હોય તે જ બલવું. અન્યથા કાંઈ બોલશે નહીં. આ સર્વ સંઘના મનુષ્ય સરખા હેવાથી તેમને પંકિતભેદ કર એગ્ય નથી. રાવણે પિતાના દશ મરતકવડે દશ રૂદ્ર (મહાદેવ) ની પૂજા કરી હતી, પણ તેમાં અગ્યારમાં રૂદ્રની પૂજા કરી નહોતી, તેથી હનુમાને રાવણના કુળને નાશ કર્યો હતે, માટે પંકિતને ભેદ કલ્યાણકારક નથી. આ પ્રમાણે ઝાંઝણુનું વચન સાંભળી કાંઈક ખેદ પામી રાજાએ કહ્યું કે –“હે મંત્રી ! કહો કે દરેક ઘરે (મારા) સર્વ લેકે એક એક (સંઘના લેક) ને જમાડે તો તેમાં શી હરકત છે? ( અર્થાત્ મારી રેચતના દરેક લેક પોતપોતાને ઘેર એક એક સંઘના માણસને જમાડે એમ તમે નિમંત્રણ સ્વીકારે). તે પણ તમે ન માને તે ધારો કે કદાચ અમે જ તમારે ત્યાં જમવાને માટે તમને પ્રયાસમાં નાંખવા ઈચ્છીએ તે શું તમે મારા આખા દેશના લેકે સહિત મને નિમંત્રણ આપે ખરા કે?” તે સાંભળી મંત્રીએ કહ્યું કે–“વા સંઘ સિવાય બીજે પ્રસંગે જુદા જુદા વહેંચીને જમાડવામાં દેષ નથી, પરંતુ સંઘને વિષે જે તેમ કરવામાં આવે તે આપને અને મને પણ એકાંતપણે પાપ વિગેરે અશુભ કર્મ જ લાગે, તથા આખા દેશના લોકે સહિત આપને જે નિમંત્રણ કરવું, તે બાબત તે હું તૈયાર જ છું નિમંત્રણ કરૂં જ છું. માટે તે અંગીકાર કરે.” *. { } : * E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160