Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 145
________________ ૧૨૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીધર. યાત્રા કરવા જવાની ઈચ્છાવાળા પુરૂષના મનમાં જે શુભ અધ્યવસાય હોય છે, તે અધ્યવસાય પાછા વળતાને હેતે નથી. કેમકે ઘી અને ચર્મના અર્થી વેપારીઓની જેમ તેના અધ્યવસાયને વિપર્યાસ થાય છે. (જેમકે એક ઘીને અને એક ચામડાને એમ બે વેપારીઓ પોતાના વેપારની ખરીદને માટે પરદેશ ગયા, તે વખતે ઘીના વેપારીએ વિચાર કર્યો કે “હું જ્યાં જાઉં છું, ત્યાં સુકાળ હાય અને ગાય ભેંશ વિગેરે પશુઓ ઘણું દૂધ ઘી આપતા હોય તે સારૂં, કેમકે તેથી મને ઘી ઘણું સસ્તું મળે.” ચર્મના વેપારીએ વિચાર કર્યો કે–“દુકાળ હોય અને પશુઓ ઘણા મરતા હોય તે મને ઓછી કીંમતે ઘણું ચામડું મળે.” આ પ્રમાણે પહેલાને શુભ અને બીજાને અશુભ અધ્યવસાય હતે. હવે જ્યારે તે બન્ને પિતપિતાની વેપારની વસ્તુ લઈને પાછા ઘર તરફ વળ્યા, ત્યારે ઘીના વેપારીને વિપરીત વિચાર થયે કે—મારા દેશમાં દુકાળ વિગેરે હોય તે મારૂં ઘી મેંઘા ભાવે વેચાવાથી મને સારે લાભ મળે.” ચમના વેપારીને પણ વિચાર થયો કે “મારા દેશમાં સુકાળ વિગેરે હોય તે પશુઓની સુખાકારીને લીધે ચામડું મેંઘુ વેચાય અને મને સારો લાભ મળે.” ઈત્યાદિ ) ત્યારપછી આભૂ સંઘપતિ ઝાંઝણ મંત્રીને બોલાવી તેની સાથે સિદ્ધાચળ ઉપર ચડ્યો. ત્યાં સામાન્યપણે અને વિશેષપણે સ્નાત્રાદિક મહત્સવ કર્યા. તથા જેનાર લોકોને વાદળા વિનાની સંધ્યાના વાદળાના વિભ્રમ (વિલાસ) ને કરનારી વિવિધ પ્રકારના રંગવાળી રેશમી વસ્ત્રની સેંકડો વજાઓ દરેક પ્રાસાદ, દેવકુળ, વૃક્ષ, ગંડર્શલ (ટુંક) અને શિખર વિગેરે દરેક સ્થળે ચડાવી. કહ્યું છે કે આ ગિરિરાજ ઉપર તેવું કઈ શિખર નથી, તેવી કઈ શિલા નથી, તેવી કોઈ ભૂમિ નથી અને તેવું કઈ વૃક્ષ નથી, કે જે ઠેકાણે કરેડા સિદ્ધિપદને પામ્યા ન હોય.” સંસાર સમુદ્રમાં સિંહલદ્વીપ સમાન આ તીર્થને વિષે ધર્મરૂપી રાવણ હસ્તીની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનરૂપી રત્નની પ્રાપ્તિ ૧ નાની ટેકરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160