Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 148
________________ અષ્ટમ તરંગ. ૧૨૯ તેણે આ મંડપાવતાર છે. તેની ફરતે જાડા વસ્ત્રને કિલ્લો અને તેની ઉપર કાંગરા મૂકેલા હતા, ચાર દિશાએ ચાર દરવાજા હોવાથી તેની અત્યંત શેભા દેખાતી હતી, તેમાં રાશી લંબક હતા, મધ્ય ભાગમાં રહેલા મંત્રીશ્વરના મેટા ઉંચા તંબુવડે તે મનહર દેખાતે હતે, દિશાઓના આંતરાને ભરી દેનાર ભેરી વિગેરે વાજિત્રાના શબ્દથી તે વ્યાપ્ત હતા, બીજા હજારે તંબુઓમાં રહેનારા મનુષ્યથી તે વ્યાપ્ત હતો, અને તેની બહાર ફરતે આરક્ષકને સમૂહ રહેલ હતું. શ્રી સંઘપતિની આજ્ઞાથી દ્વારપાળે તે કવિને અંદર પ્રવેશ કરવા દીધે, ત્યારે તે બુદ્ધિમાન ભાટ અનેક આશ્ચર્યોને જેતે જેતે પ્રધાનની પાસે જઈ પહોંચે. કાંઈક વિચાર કરતા હોય તેમ કાંઈપણ નહીં બેલતા અને આગળ ઉભેલા તેને જોઈ મંત્રીએ વિચારનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હે દેવ! હું આ પ્રમાણે વિચાર કરું છું કે—જે તમે કિલ્લા વિગેરેની રમણીય લક્ષ્મીવડે સ્વર્ગના જેવું અને હાથથી ગ્રહણ કરી શકાય તેવું મંડપદુર્ગ (માંડવગઢ) નામનું નગર બનાવીને તે નગર સહિત (તે નગરને સાથે લઈને) ગર્જના કરતા અને દુઃખે કરીને જીતી શકાય તેવા ગુજરાતની પૃથ્વીના નરેને ગ્રહણ કરવાની ઈચ્છાથી આ અવંતિ દેશમાં પ્રાપ્ત થયા છે–આવ્યા છે, તેવા પ્રધાનના મુગટ સમાન તમેને કેની ઉપમા આપવી? એ સં. બંધિ હું વિચાર કરું છું.” આ પ્રમાણે તેનું વચન સાંભળી હર્ષ પામેલા. મંત્રીએ તેને ઘણું ધન આપ્યું, તથા વખાણવા લાયક લક્ષણેને ધારણ કરતે એક ઉત્તમ અધ, તેમ જ સોનાની સાંકળી અને પાઘડી વિગેરે પુષ્કળ આપ્યું. તે લઈ ઘણાજ ખુશી થયેલ તે ભાટ તત્કાળ તેજ અશ્વપર ચડીને ચાલ્ય, અને રાજાની પાસે આવ્યું. તે જોઈ રાજાએ તેને પૂછયું કે–“ આવું ઈનામ તને કયાં મળ્યું?” ત્યારે તે બંદીએ કહ્યું કે-“હે દેવ ! આ પ્રમાણ આપ માને કે આ સર્વ શણગાર મંડપમાં હુ આજે ગયે હતું ત્યાંથી મને મળે છે.” તે સાંભળી રાજાએ હસીને કહ્યું કે–“હે ઉત્તમ બંદી ! ભાટ ચારણે જેટલું મળે તેનાથી દશ ગુણું બેલે છે એ કહે ૧ માંડવગઢને અવતાર એટલે ચિતાર. ૨ ચૌટાબજાર. ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160