Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 133
________________ ૧૧૪ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. -- - -- -- - - - - - -- - -- હૃદયમાં હુષ્ટતુષ્ટ થઈ શ્રેષ્ઠ બુદ્ધિવાળે તે બોલ્યો કે–“હે મંત્રી ! તને ધન્ય છે, તારે જન્મ, જીવિત અને ધન વખાણવા લાયક છે, કેમકે દેવના ઉપર તારે ભક્તિને વિરતાર આ હદ વિનાને છે. શરીરને વિષે ચૈતન્ય, ભેજનને વિષે ઘી, રાજાના શાસનને વિષે શ્રીકાર, અથાણુમાં લીંબુને રસ અને ધર્મને વિષે વાસના (ભાવના) આ સર્વ સારભૂત-શ્રેષ્ઠ છે. મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાની સામગ્રી અને સ્થિતિ, આ સાતે પ્રકારની શુદ્ધિપૂર્વક દેવપૂજા કરનાર તારા જે બીજે કેણ છે? સેંકડો કાર્યો છતાં પણ અને મેં બોલાવ્યા છતાં પણ તે મંત્રી ! તારે કદાપિ દેવપૂજાને સમયે આવવું નહીં તું સુખેથી એકાગ્ર મનવડે પૂજા કર. હું ત્યાંસુધી ડેલીમાં બેઠે છું.” એમ કહી રાજા ત્યાંથી ઉઠી ડેલીમાં જઈ મંત્રીના સેવકે આપે લા ઉચિત આસન પર બેઠે. ત્યારપછી મંત્રી પણ વિધિપૂર્વક પૂજા, સ્તુતિ, કાત્સર્ગ વિગેરે સર્વ સંપૂર્ણ કરી રાજા પાસે આવી તેને નમન કરી ઉચિત આસન પર બેઠે. તે વખતે જે શીએ કહેલું વિજય મુહૂર્ત વ્યતીત થયું હતું (જતું રહ્યું હતું), તે પણ રાજાએ તેના પર કેપ કર્યો નહીં. અહે ! પુણ્યને વિલાસ આશ્ચર્યકારક છે. કહ્યું છે કે – " पत्नी प्रेमवती सुतः सुविनयो भ्राता गुणालङ्कतः, स्निग्धो बन्धुजनः सखाऽतिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरः स्वबन्धुसुकृतप्रायोपभोग्यं धनं, પુરાનામુનિ સંતતમ ચાર પચતે ૨ . ” - પ્રેમવાળી પત્ની, સારા વિનયવાળો પુત્ર, ગુણવડ અલંકૃત ભાઈ, હવાળા બંધુજને, અતિ ચતુર મિત્ર, નિત્ય પ્રસન્ન થયેલ સ્વામી, લાભ રહિત કર, અને પિતાના બંધું તથા પુણ્ય માર્ગે જ પ્રાયે વપરાતું ધન, આ સર્વ વસ્તુ પુણ્યના ઉદયથી કોઈક પુરૂષને જ નિરંતર પ્રાપ્ત થાય છે.” ત્યારપછી રાજા અને મંત્રી એ બને એ વિચાર કરીને સંધિ, વિગ્રહ વિગેરે સાધવામાં નિપુણ બુદ્ધિવાળા દૂતને બીજા નવીન મુહૂ ૧ પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને રહેવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160