Book Title: Snatrapooja Sarth Author(s): Virvijay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 6
________________ સ્નાત્ર પૂજા સાથે નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. કુસુમાંજલિ-ઢાળ નિર્મળ જળકળશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિમેલો આદિ જિગંદા,સિદ્ધસ્વરૂપી અંગપખાલી, આતમનિર્મળ હુઈ સુકુમાલી કુસુમાં, ૪ ગાથા-આર્યા-ગીતિ મચકુંદચંપમાલઈ; કમલાઈ પુફપંચવણાઈ; જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ. ૫ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. કુસુમાંજલિ-ઢાળ રયણ-સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે દીજે, કુસુમાંજલિ મેલો શાનિ જિગંદા. ૬ નિર્મળ જળકળશો વડે પ્રભુને નવરાવી અમૂલ્ય વસ્ત્ર અંગ ઉપર ધારણ કરાવી આદિ જિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. સિદ્ધસ્વરૂપી ભગવંતનો અભિષેક કરવાથી આત્મા નિર્મળ અને સુકુમાળ થાય છે. ૪. મચકુંદ, ચંપો, માલતી, કમળ વગેરે પાંચ વર્ણનાં ફૂલો જગન્નાથના અભિષેક વખતે દેવો ચઢાવે છે, તે કુસુમાંજલિ કહેવાય છે. ૫. રત્નજડિત સિંહાસન પર જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરી, શ્રી શાંતિનાથ પ્રભુના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50